SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ ત્યાં જંપ.. 'When the love is thick, fault is thin. When the love is thin fault is thick.' જયારે પ્રેમ ગાઢ હોય છે ત્યારે ભૂલ નાની લાગે છે, અને જ્યારે પ્રેમ પાતળો હોય છે ત્યારે ભૂલ મોટી લાગે છે. આ છે પ્રેમનું અજબ ગણિત..... અત્યંત પ્રિય કાચનું ઝુમ્મર નોકરથી તૂટી જાય તો માણસ શું દંડ કરશે ? વિનીત પુત્રથી તૂટી જાય તો શું સજા ફરમાવશે ? પ્રેમાળ પત્નીથી તૂટી જાય તો શું શિક્ષા કરશે ? અને પોતાનાથી જ તૂટી જાય તો શું સજા ફટકારશે ? નુક્શાન સમાન હોવા છતાં આ સજામાં કેમ ફેર પડે છે ? જવાબ સ્પષ્ટ છે કે નોકરની ભૂલ જેટલી અક્ષમ્યા લાગે છે એટલી પુત્રની લાગતી નથી. પત્રની લાગે છે એટલી પત્નીની નથી લાગતી. ને પત્નીની લાગે છે એટલી પોતાની કુદરતી રીતે જ લાગતી નથી. તે ત્યાં સુધી કે પોતાનાથી તૂટી ગયું હોય ત્યારે દિલમાં દુ:ખ ભલે કદાચ થાય, પણ સજા કરવા જેવું તો લાગતું જ નથી. આ જ બાબત પ્રસ્તુતમાં પણ કામ કરી રહી છે. પુદ્ગલ પરનો રાગ એટલો બધો ગાઢ છે કે પ્રતિકૂળતામાં પણ એની ભૂલ દેખાતી નથી, એના પર વૈષ-ગુસ્સો નથી આવતો. જીવ પર આજ સુધી વાસ્તવિક પ્રેમ-મૈત્રી જામી નથી, માટે એની કોઈ ભૂલને સાંખી લેવા જીવ તૈયાર નથી, એના પર તુરંત એનો દ્વેષ પ્રવર્તવા માંડે છે. ૧૪૪૪ ગ્રન્થોના મહાન સર્જક શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટપ્રકરણમાં પ્રતિપાદન કર્યું છે કે, “રાગ જીવ અને પુદ્ગલ બન્ને પ્રત્યે હોય છે જયારે દ્વેષ જીવો પર હોય છે, પુદ્ગલ પર હોતો નથી.' એમાં પણ જીવો પર રાગ હોવો જે કહ્યો છે, તે પૌગલિક રાગને કારણે કહ્યો છે એવું લાગે છે. એટલે મુખ્યતયા જડ પર રાગ અને જીવો પર દ્વેષ આ જ જીવની અનાદિકાલીન પરિસ્થિતિ છે. તેથી આગળના પ્રકરણમાં જોયું તેમ અનાદિની ચાલને ત્યજીને હવે ગણિત બદલવાનું છે. પુદ્ગલ પ્રત્યે દ્વેષ = વૈરાગ્ય અને જીવ પ્રત્યે રાગ = મૈત્રી કેળવતા જવાનું છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી-પ્રીતિ કેળવવા માટે આવી વિચારણા પણ ઉપયોગી બની શકે છે. આપણને બીજા પ્રત્યે જયારે જ્યારે પણ જે આદરપ્રીતિ જાગે છે તે તેનામાં દાન-શીલ વગેરે આધ્યાત્મિક કે રૂપ-સંપત્તિ વગેરે ભૌતિક ચીજ જોઈને લાગે છે. તો જ્ઞાનીઓ કહે છે કે આ દાન-શીલ-રૂપસંપત્તિ વગેરે બધા કરતાં બેશક, ચૈતન્ય વધારે મૂલ્યવાનું છે, અધિક મહત્ત્વનું છે... અત્યંત આદરણીય છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે વિદ્વત્તારૂપ..સંપત્તિ વગેરે કશું જોવાની જરૂર નથી. ચૈતન્ય છે ને ? વાત પૂરી થઈ ગઈ...ભેટી Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy