SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ ત્યાં જંપ.... ૪૫ જવાય, એ તો સહી લેવું જોઈએ. નહીંતર અંદરઅંદર ઝગડવામાં જો વ્યસ્ત થઈ જવાય, તો અમારી પાર્ટી નબળી પડી જાય. અને સામી પાર્ટીવાળાને ફાવટ આવી જાય.” આ પ્રમાણે મનને મનાવી લેવામાં આવે છે, હસતે મોઢે સહી લેવામાં આવે છે, કારણ કે પોતાપણું પ્રતીત થતું હોય છે. બસ, પોતાપણાના આ ચમત્કારને જીવનમાં જોડવાનો છે. જગતમાં બે મુખ્ય પાર્ટીઓ છે. એક છે સમસ્ત જીવોની પાર્ટી, અને બીજી જડ પુદ્ગલોની (કર્મસત્તાની) પાર્ટી. કોઈપણ જીવ જડને વળગવા જાય છે તો જડ એનાથી દૂર ભાગે છે. કોઈપણ પૌદ્ગલિક વૈભવની આસક્તિ કરનારો - એ વૈભવને દિલમાં ઘાલનારો જીવ, એના ખાતર કદાચ પ્રાણ સુધ્ધાંનો ત્યાગ કરી દે, તોય પરભવે એ પૌદ્ગલિક વૈભવ તો પામતો નથી, પણ ઉપરથી એ આસક્તિ એને અનેક રીતે ખુવાર કરે છે. માટે જણાય છે કે જડવસ્તુઓ એ સર્વ જીવોની શત્રુપાર્ટી છે. કેમકે જે પેટમાં પેસી પગ પહોળા કરે, જેને પોતાનામાં પ્રવેશ આપવાથી પોતાની ખુવારી થાય એ “શત્રુ હોય છે. જેને આ જડપુદ્ગલોનીકર્મસત્તા સ્વરૂપ સામી પાર્ટી પર વિજય મેળવવો છે, અને જે એ માટે પ્રયત્નશીલ છે, તેની જ્યારે ક્યારેક અન્ય જીવ તરફથી અપમાન થવું વગેરે રૂપ હેરાનગતિ થાય છે ત્યારે હેરાન થનારી એ વ્યક્તિ જો આવું વિચારે કે “હોય ! આ પણ મારી જ પાર્ટીના મેમ્બર છે. બિચારો અજ્ઞાન છે માટે આવું વર્તન કરે છે. બાકી જાણકાર હોય તો આવું કરે નહીં. વળી એનું આવું વર્તન તો પેલું એકનો બીજા પર પગ પડી જવા બરાબર છે. એટલામાત્રથી હું એને શત્રુ માનવા માંડીશ અને એની સાથે ઝગડવા માંડીશ તો કર્મસત્તાની સામે વિજય મેળવવાનું મારું કાર્ય બાજુ પર રહી જશે. તેમજ અમારી પાર્ટીમાં ફાટફૂટ પડવાથી સામી પાર્ટી-કર્મસત્તાને ફાવટ આવી જશે.” જો આવું વિચારવામાં આવે તો જરૂર શત્રુતાના કલુષિત ભાવોથી બચી શકાય છે. મૂળમાં “જગતમાં સઘળા જીવો મારી પાર્ટીના સભ્યો છે.” એ વાતને દૃઢપણે નિશ્ચિત કરવી જોઈએ. “કર્મસત્તા જ બધાનો પ્રખર શત્રુ છે.” એ વાત જો બરાબર ભાવિત કરવામાં આવે તો આ વાત સહેલાઈથી નિશ્ચિત થઈ શકે છે. વળી, જે કર્મસત્તાની સામે યુદ્ધ ચડ્યો છે એ સાધકને માટે Kર્ડ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy