________________
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી..
૨૯
અથવા એક બાજુ રાગપરિણામ છે, બીજી બાજુ દ્વેષનો પરિણામ છે. મધ્યમાં વીતરાગતા છે. ઘડિયાળનું લોલક જ્યાં સુધી ડાબી-જમણી બાજુ હાલ્યા કરે છે, ત્યાં સુધી ઘડિયાળમાં નાનામોટા કાંટાનું ભ્રમણ ચાલુ રહે છે. અને લોક ડાબે-જમણે જવાનું બંધ કરી મધ્યમાં સ્થિર થઈ જાય છે, તો કાંટાનું ભ્રમણ બંધ થઈ જાય છે. એમ જ્યાં સુધી મન રાગ-દ્વેષની વચ્ચે ઝોલાં ખાયા કરે છે, ત્યાં સુધી જીવનું સંસારમાં પરિભ્રમણ ચાલુ રહે છે. જ્યારે એ રાગદ્વેષ તરફ જતું અટકી મધ્યમાં સ્થિર થઈ જાય છે ત્યારથી જીવનું ભ્રમણ અટકી જાય છે. પરસ્પર વિપરીત જણાતી આ ભાવનાઓ આ મધ્યસ્થતાની પ્રાપ્તિ માટે છે. - રાગ અને મૈત્રીમાં શું ફેર છે ?
સ્થલદષ્ટિએ કહીએ તો જે આકર્ષણ સ્વાર્થઘટિત છે તે રાગ છે, અને જે આકર્ષણ સ્વાર્થઘટિત નથી તે મૈત્રી છે. પૌદ્ગલિક લાભપદ્ગલિક સુખ મેળવવાની ઇચ્છા એ અહીં સ્વાર્થ છે. તાત્પર્ય એ છે કે એક જીવનું અન્ય કોઈપણ જીવ પ્રત્યેનું આકર્ષણ જો મુખ્યતયા એ જીવના રૂપ-સ્વર-ધન-સ્થાન-પ્રતિષ્ઠા વગેરે કારણે હોય તો તે રાગ છે, કારણકે આ રૂપ વગેરે પુગલના ગુણો હોવાથી અન્યજીવ પ્રત્યેનું એ આકર્ષણ વાસ્તવમાં જીવની પ્રધાનતાના કારણે થયેલું આકર્ષણ નથી, પણ પુદ્ગલની પ્રધાનતાના કારણે થયેલું આકર્ષણ છે. એટલે જ પુદ્ગલ પરિવર્તનશીલ હોવાથી જ્યારે એ મનપસંદ રૂપ-સ્વર વગેરે ચાલ્યા જાય છે ત્યારે સાથે સાથે એ જીવ પરનું આકર્ષણ પણ ચાલ્યું જાય છે.
જે આકર્ષણમાં તે અન્ય જીવના રૂપ વગેરેએ મુખ્ય ભાગ ભજવ્યો | હોતો નથી, એ આકર્ષણ મૈત્રી છે. આ આકર્ષણમાં કાં તો વ્યક્તપણે
એ અન્ય વ્યક્તિના ક્ષમા, નમ્રતા, સંયમ વગેરે આત્મગુણો ભાગ ભજવતા હોય છે ને કાં તો સીધું એ જીવદ્રવ્ય પરનું આકર્ષણ હોય છે. પણ આમાં વ્યક્તિના પૌદ્ગલિક વ્યક્તિત્વની મુખ્યતા હોતી નથી, એટલે જ્યારે એ વ્યક્તિના પૌગલિક વ્યક્તિત્વમાં ધરખમ ફેરફાર થઈ જાય ત્યારે પણ એના પ્રત્યેનું આ આકર્ષણ હટતું નથી.
વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યારે આજના જેવી વિમાની સેવા ઉપલબ્ધ નહોતી. એક ખોજા કુટુંબ કે જે વ્યવસાય અર્થે આફ્રિકામાં સ્થિર થયેલું, તે પોતાની જન્મભૂમિમાં જવા માટે સ્ટીમર દ્વારા મુંબઈ આવ્યું. મુંબઈમાં પોતાના એક પરિચિત યજમાનને ત્યાં ૩-૪ દિવસ
| Sાવા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org