________________
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.....
એક શ્રોતાને પોતાનાં મિસીસ પર એટલો બધો રાગ હતો કે વ્યાખ્યાનમાં પણ વારે વારે એની સામે રાગભરી નજરથી જોઈ લેતો. પ્રવચનકારની નજરમાં આ આવી ગયું. એટલે એને તીવ્રરાગના પાપમાંથી બચાવવા માટે વ્યાખ્યાન બાદ ‘સહુ સગાં સ્વાર્થનાં છે, સ્વાર્થ મીટ્યા બાદ બધા શત્રુ બની જાય છે. માટે સ્નેહના બંધનને કાપતાં જવું.' વગેરે સમજાવવા માંડ્યા. એટલે તરત એ શ્રોતા ઊછળી પડ્યો, ‘અરે મહારાજ ! આ શું કહો છો ? ચાર દિવસ પહેલાં તો તમે મૈત્રીભાવનામાં એમ કહેતા હતા કે બધા જીવો આપણા મિત્ર છે, કોઈ શત્રુ નથી. બધા જોડે સ્નેહપરિણામ રાખવો જોઈએ....વગેરે..... અને આજે સાવ વિપરીત કહો છો. મારી પત્નીને હું ચાહું છું...એની પ્રત્યે મને કુદરતી સ્નેહ છે. એને કાપવાનું કહો છો ?'
એટલે મહાત્માએ કહ્યું, ‘જુઓ ભાગ્યશાલિન્ ! જેમ મૈત્રી વગેરે ચાર શુભભાવનાઓ ભાવવાની છે, એમ અનિત્ય વગેરે બાર શુભભાવનાઓ પણ ભાવવાની જ્ઞાનીઓએ બતાવી છે. એમાં અશરણભાવનામાં ‘આ સ્નેહી સ્વજન વગેરે પણ કોઈ શરણભૂત નથી. રોગ, મૃત્યુ કે દુર્ગતિથી કોઈ મને બચાવવાનું નથી.’ એવું ભાવવાનું છે. સંસાર ભાવનામાં સંસારમાં પ્રાપ્ત થયેલા આ સ્નેહીઓ સગાંવ્હાલાંઓ બધાં સ્વાર્થનાં સગાં છે. સ્વાર્થ છૂટ્વે શત્રુ બની જનારાં છે... ઇત્યાદિ વિચારવાનું છે. એકત્વભાવનામાં ‘હું એકલો જન્મ્યો છું... એકલો કર્મ બાંધું છું... મારે એકલાએ એ કર્મો ભોગવવાનાં છે, કોઈ એમાં ભાગ પડાવવાનું નથી, મારે એકલાએ જ રોગાદિ દુ:ખો સહવાનાં છે, એકલાએ અહીંથી પરલોકમાં જવાનું છે, ઇત્યાદિ રીતે આત્માને ભાવિત કરવાનો છે. અન્યત્વભાવનામાં ચિંતવવાનું છે કે-શરીર, ધન, કુટુંબ, પરિવાર વગેરે બધું મારા માટે પારકું છે. કોઈ જ મારું નથી, મારું હોય તો મારા જ્ઞાન વગેરે આત્મગુણો જ છે. અવધૂતયોગી શ્રી આનંદઘનજી કહે છે કે, ‘તું નહીં તેરા કોઈ નહીં તેરા ક્યા કરે મેરા મેરા......તેરા હૈ સો તેરી પાસે અવર સબ હૈ અનેરા..’
પેલા શ્રોતાએ કહ્યું કે, ‘“મહારાજ સાહેબ ! આનો અર્થ તો એ
3.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org