________________
૧૫
मित्ती मे सव्व भूएसु
ઊંટસવારે ઊભા રહીને એ પ્રૌઢાને કહ્યું કે
સારું, તમારી કન્યાને ઊંટ પર બેસાડી દ્યો. હું યોગ્ય સ્થાને ઉતારી દઈશ.”
પણ એ મહિલાએ ના પાડી. ના, હવે એ ચાલીને મારી સાથે જ આવશે.” હવે કેમ ના પાડો છો ?'
રાઇના ભાવ રાતે ગયા. તમારો વિચાર બદલાયો એની સાથે મારો વિચાર પણ બદલાઈ ગયો.”
આપણા શુભ-અશુભ, વિચારોની અસર સામી વ્યક્તિ પર પણ પડે છે. અરે ! વ્યક્તિ શું, વનસ્પતિ પણ આપણા એની પ્રત્યેના શુભઅશુભ ભાવોને ઝીલીને એ મુજબ વિકસે છે કે મુરઝાય છે. અમેરિકામાં વનસ્પતિઓ અંગે અનેક પ્રયોગો અને અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક વેકસ્ટનને અનેક પ્રયોગોથી માલુમ પડ્યું છે કે જો વનસ્પતિ સાથે લાઈડિટેક્ટર મશીન જોડવામાં આવે, અને પછી એની પ્રત્યે સ્નેહની કે ધિક્કારની લાગણી વરસાવવામાં આવે તો એ મુજબ એ મશીનના ગ્રાફમાં પણ વિવિધ ફેરફારો જોવા મળે છે.
આપણને જે હેરાન કરી રહ્યો છે એનું પણ ભલું થવાની પ્રભુ પ્રત્યે આપણી નિરંતર પ્રાર્થના અને દિલનો ભાવ જરૂર એના દિલમાં પણ આપણા પ્રત્યે મિત્રતાનો ભાવ પેદા કરશે. યોગવાસિક્યમાં પણ કહ્યું છે કે
अमृतत्वं विषं याति सदैवामृतवेदनात् ।।
शर्मित्रत्वमायाति मित्रसंवित्तिवेदनात् ॥ અર્થ : વિષ અંગે પણ જો સતત ચિંતન કરવામાં આવે કે આ અમૃત છે.. આ અમૃત છે. તો એ ખરેખર અમૃત બની જાય છે. એમ શત્રુ વિશે પણ “આ મિત્ર છે' “આ મિત્ર છે' એવી સંવેદના હંમેશાં કરવામાં આવે તો એ ખરેખર મિત્ર બની જાય છે. શત્રુ મટી જાય છે.
વળી જગતના સઘળા જીવો પ્રત્યેનો સદ્ભાવ અને હિતની ચિંતા એ એક વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાવે છે. વિશ્વનું સર્વશ્રેષ્ઠ કક્ષાના
આપણો સિદ્ધાંત એ નથી કે ગરીબીની નાબકી માટે ગરીબોને જ નાબાર કરી દેવા... પણ એ છે કે ગુણોને ભણવાવા રાતા જ મિટાવવી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org