________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૫૫
હલકી વાતો કરવા બેસી જાય કે “ફલાણાને ઓળખો છો ? પૈસા માટે આવા આવા ધંધા કરે છે....” તો શ્રોતા એની વાતો સાંભળવા ઊભો તો ન રહે, પણ ઉપરથી “કાંઈ કામધંધો છે કે નહીં ? આવી આવી વાતો કર્યા કરે છો !” વગેરે કહી એની બોબડી બંધ કરી દે. માટે નિંદક પ્રથમ સારી સારી વાતો કરે છે. અને પછી જ્યારે એને પ્રતીતિ થઈ જાય કે શ્રોતા મારી વાતો સાંભળવા માટે બરાબર પ્રીપેર થઈ ગયો છે, ત્યારે તે “પણ” શબ્દ બોલીને ગુંલાટ મારે છે.
હા ! દાન તો એ આપે છે. પણ તમને ખબર છે ? એ માલમાં કેવી ભેળસેળ કરે છે ? ઘરાકોને કેવા ચીરે છે ? નોકરોનું કેવું લોહી ચૂસે છે ?...” આ પણ' એ Diversion જ નથી, કિન્તુ U Turn. છે. ગાડી સીધી વિપરીત દિશામાં જ દોડવા માંડે છે. પ્રશંસાથી શરૂ થયેલું ભાષણ નિંદાની ગલીચ વાતો પીરસવા માંડે છે, અને શ્રોતા પણ એ સાંભળવા માંડે છે.
નિંદકોની આ કલાને લેખકોએ આવી રીતે બિરદાવી છે કે નિંદાનો પ્રારંભ સંગીતથી હોય છે.” આ નિંદા એટલે શું છે ? એક ત્રાહિત વ્યક્તિની વાસ્તવિક કે અવાસ્તવિક ભૂલોને એના છતા કે અછતા દોષોને થર્ડ પર્સન આગળ ગાવા તે. કોકની ભૂલ થર્ડ પર્સનને કહેવી હોય, તો ય જો સારા શબ્દોથી પ્રારંભ કરવો આવશ્યક બની રહે છે, તો જયારે જેની ભૂલ છે એ સેકન્ડ પર્સનને જ એ કહેવાની હોય તો સંગીતથી પ્રારંભ કરવાની આવશ્યકતા કેટલી હોય એ શું નહીં સમજાય એવી વાત છે ?
સામાની ભૂલો સુધારવા માંગનારે તો સામાના દિલમાં પ્રવેશવું પડે, એના દિલમાં સ્થાન જમાવવું પડે. સામાના દિલના દિવાનખાનામાં પેસવા માટે ગુણો બારીબારણાં સમાન છે જ્યારે દોષો તો દિવાલ જેવા છે. ગુણો દ્વારા પેસી શકાશે, દોષો દ્વારા પેસવા ગયા, તો માથું ફૂટ્યા વિના નહીં રહે. માટે અન્યની ભૂલ સુધારવા ઇચ્છનારે પ્રથમ એના ગુણોની પ્રશંસા કરવી આવશ્યક છે. એનાથી એ સામી વ્યક્તિને પ્રિય બને છે. સામી વ્યક્તિના દિલમાં એના માટે ચાહના ઊભી થાય છે જેના કારણે એ પછી સામી વ્યક્તિ પાસેથી જે રીતે કામ કઢાવવું હોય એ રીતે કઢાવી શકે છે.
અમેરિકાનો એક વખતનો પ્રથમ પંકિતનો મલ્ટી મીલીયોનેર એન્ડ્રઝા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org