SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં આવી બધી વિચારસરણીથી એની સહનશીલતા વધતી હોવાથી તેમજ પત્ની પ્રત્યે પુનઃ સદ્ભાવ થયો હોવાથી હવે પુનઃસહવાસ દરમ્યાન પત્નીથી એવી ભૂલો થતી રહે તોપણ પતિના દિલમાં એ ભૂલો પહેલાંની જેમ કોતરાતી નથી, ઘટ્ટ બનતી નથી. જોકે પતિ પણ સ્વસ્વભાવ પર કંઈ એકદમ કંટ્રોલ કરી શકતો નથી, એટલે પાછું ઓછેવત્તે અંશે પૂર્વની ભૂલોની યાદી વગેરેનું પુનરાવર્તન થતું તો રહે છે, પણ એ અસહ્ય બની જાય એટલી કક્ષાએ પહોંચવામાં હવે ઘણો કાળ આવશ્યક હોય છે, ને એટલો કાળ સતત એ બાબતોનું પુનરાવર્તન થાય એ પૂર્વે જ પત્નીને પાછું પીયર રહેવાનું બને એટલે પતિના દિલને જે ઘા લાગ્યા હોય એને મલમપટ્ટા થઈ જાય તેમજ રુઝાવાનો અવસર મળી જાય. આ જ રીતે પત્નીને પણ પતિથી દૂર થવાથી પતિના પ્રેમ-ગુણો વગેરે જોવાનો ચાન્સ મળે છે ને એના દિલને પણ મલમપટ્ટા થઈ જાય છે. આ જ પ્રમાણે સાસુ-દેરાણી-જેઠાણી વગેરે દરેક સભ્યોના દિલમાં પેદા થયેલી કડવાશ ઓછેવત્તે અંશે ઓછી થાય છે અને તેથી એ પત્નીને સ્વમાનભેર જીવન જીવી શકવાની શક્યતા ઊભી થાય છે.. Life is worth livingની ભાવના એના દિલમાં જાગે છે જે એના જીવનની કોઈ સંભવિત દુર્ઘટનાને અટકાવી દે છે. વળી આ રીતે પત્નીનો વિરહ થવાથી પરાણે પણ બેત્રણ મહિના બ્રહ્મચર્યનું પાલન થાય છે તેમજ શરીર પણ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે... આજે આ સામાજિક સંસ્કૃતિ લગભગ ભૂંસાઈ ગઈ. એટલે ભૂલોને જોઈ જોઈને સંભળાવવાનું એક વાર શરૂ થયા પછી નિરંતર કટુતા To no end... વધતી જ જાય છે. એકસાથે બે-ત્રણ મહિના વિરહ પડે એવું લગભગ હોતું નથી. એટલે એના ગુણો વગેરે જોવાનો ચાન્સ મળતો નથી, કેમકે જ્યાં સુધી વસ્તુ-વ્યક્તિ નજર સામે હોય છે ત્યાં સુધી એના ગુણો-એનાં કાર્યો-એની આવશ્યકતાને લગભગ કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ પિછાણી શકતો નથી. માટે તો મોટેભાગે માણસ મર્યા બાદ એનાં ગુણગાન થાય છે, લોકોને એની મહત્તા જણાય છે. ચશ્માં આંખ પર ન હોય ત્યારે એની આવશ્યકતાનો ખ્યાલ આવે છે. આંખ પર હોય ત્યારે તો એના અસ્તિત્વનું પણ સંવેદન થતું નથી. માટે તો એક ચિંતકે નોકરિયાતોને સલાહ આપી છે કે “તમારે વર્ષમાં ૮૧૦ રજા તો પાડવી જ, જેથી કંપનીને તમારી કેટલી જરૂર છે એનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy