________________
75...જે કરમાય ની
આલોચના ને કહેવાથી દુઃખી બનેલ શીયાળ રાજા
| શ્રીપાળ રાજા પૂર્વભવમાં શ્રીકાન્ત નામે રાજા હતા. એક દિવસ મલિન વસ્ત્રવાળા મુનિને જોઈ તિરસ્કાર અને ફિટકાર કરતાં કહેલું કે ‘તમે કોઢીયા છો...'
વળી એક દિવસ નદીના કિનારે કાઉસ્સગ્ન ધ્યાનમાં મુનિને જોઈ એમને પાણીમાં ડૂબકી મરાવી. મુનિએ તો ઉપસર્ગ સમજી સમભાવે સહી લીધું, પણ શ્રીકાન્તને કર્મો ચોંટી ગયા.
શ્રીકાંત રાજાએ આ બન્ને પાપોનું પ્રાયશ્ચિત ન લીધું. તેથી બીજા ભવમાં (શ્રીપાળ ભવે) તેને કોઢ રોગ થયો. એ કર્મનો ઉદય પૂરો થયો કે, ધવળશેઠે ધક્કો મારી એને સમુદ્રમાં ડૂબાડ્યા.
આ તો નવપદના મહાપ્રભાવે એમનો ઉદ્ધાર થઈ ગયો. મગરમચ્છ એમને પોતાની પીઠ ઉપર બેસાડી બચાવી લીધા.
‘પ્રાયશ્ચિત ન લેવાના ફળો ઘણાં આકરા હોય છે !' તેથી આપણે ગુરુને આલોચના જલ્દી કહેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.sinelibrary.org