________________
53...જો જે રમાય ||
12 લક્ષ્મણા સાધ્વીજીએ શુદ્ધ આલોચના ન કરી.
આજથી ૮૦મી ચોવીસીના છેલ્લા તીર્થકરના શાસનમાં લક્ષ્મણા નામની એક રાજકુમારી હતી. લગ્ન થયા પછી ચોરીમાં જ તે વિધવા બની ગઈ. શ્રાવકધર્મનું પાલન કરી એક શુભ દિવસે દીક્ષા લીધી. ત્યાર બાદ અનેકને પ્રતિબોધ આપી અનેક શિષ્યાના ગુરુણી બન્યા. એક દિવસ ચકલા ચકલીની સંભોગ ક્રિયા જોઈને લક્ષ્મણા સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે અરિહંત ભગવાને સંભોગની આજ્ઞા કેમ ન આપી? અથવા ભગવાન તો અવેદી હતા. તેથી વેવાળા જીવની વેદનાની ખબર એમને ક્યાંથી હોય? આવો વિચાર ક્ષણભર આવી ગયો. પછી તો પશ્ચાતાપ થયો કે મેં આ ખોટો વિચાર કર્યો, કારણ કે અરિહંત ભગવાન તો સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ સર્વજીવોની વેદના આદિને જાણી શકે છે.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org