________________
કર્યા કરે છે. તો પાઠ બંધ કરી દોને! આપણે ભણાવવાની શી જરૂર છે?
ત્યારે ગુરુદેવે એ શિષ્યોને જે વાક્ય કહ્યું તે આપણે સહુએ આપણી દિલની ડાયરીમાં નોંધી લેવા જેવું છે. તેઓશ્રીએ કહ્યું કે : કર્મસત્તા જ્યારે લેખાજોખા કરવા બેસે છે ત્યારે કોણે શું કર્યું? (કેવું વર્તન કર્યું?) એ નથી જોતી.. પણ આપણે શું કર્યું? એ જ જુએ છે.
હા, આ બહુ સમજવા જેવું છે. કર્મસત્તા જ્યારે આપણી ફાઈલ ખોલીને બેસે છે ત્યારે બીજાની કોઈની ફાઈલ ખોલતી નથી. કર્મસત્તા જાણે કે કહે છે : બીજાએ શું કર્યું છે ? એ તો જ્યારે એની ફાઈલ ખોલીશ ત્યારે જોઈશ. હાલ તો તારી જ ફાઈલ ખોલી છે. ને એમાં ગુસ્સો જો વંચાય છે તો કડક સજા કરીશ. ક્ષમા જો વંચાય છે તો ભવ્ય ઈનામ આપીશ.
ગુણસેને અગ્નિશર્માનો વારંવાર ક્રૂર ઉપહાસ કર્યો છે. ત્રણ - ત્રણવાર પારણું ચૂકવ્યું છે. પણ કર્મસત્તા અગ્નિશર્માને જાણે કે કહે છે: ગુણસેનની ફાઈલ તો કોઈક કબાટના કોઈક ખાનામાં દટાયેલી પડી હશે. હાલ તો મારા હાથમાં તારી જ ફાઈલ છે. ને એમાં તો ભયંકર ક્રોધ, વૈરની તીવગાંઠ, ગુણસેનને ભવોભવ મારવાનું નિયાણું. આવું બધું જ વંચાય છે. જે ઘોર અપરાધરૂપ છે. આની સજારૂપે તારે નરકાદિમાં અનંતકાળ સુધી ભયંકર યાતનાઓ વેઠવી જ પડશે. ગુણસેને શું કર્યું છે? એ તો એની ફાઈલ જ્યારે હાથમાં લઈશ ત્યારે જ હું વાંચીશ - વિચારીશ.
સીધી વાત છે. જ્યારે નફા-નુકશાનનો હિસાબ માંડવાનો હોય છે ત્યારે વેપારી પોતાના જ ચોપડા જુએ છે. બાજુવાળાએ શું નફા-નુકશાન કર્યા છે કે ફલાણા વેપારીનો ચોપડો શું બોલે છે? એ થોડું જુએ છે?
હોસ્પીટલમાં ભરતી થયેલા દર્દીનો રસ શેમાં ? આ ડાબી બાજુના દર્દીની ફાઈલ શું કહે છે? ને જમણી બાજુના દર્દીની ફાઈલ શું કહે છે? એમાં કે મારી ફાઈલ શું કહે છે? એમાં? પોતાની ફાઈલ હાથમાં લીધા પછી પણ તજજ્ઞ ડૉક્ટર પડોશી દર્દીની ફાઈલની ચર્ચા કર્યા કરે તો દર્દી અકળાઈ જાય છે.
આપણી ફાઈલમાં પણ જે પૃષ્ઠ પર આપણા સત્કાર્યોની નોંધ છે એ પૃષ્ઠનો નંબર આવે ત્યારે જ કર્મસત્તા બીજાની ફાઈલમાં ચંચૂપાત કરે અને આપણા સોનેરી પૃષ્ઠને નજરઅંદાજ કરે તો શું એ આપણને પાલવશે ? એટલે જ કર્મસત્તા તો કહી રહી છે કે જ્યારે જેની ફાઈલ હાથમાં લીધી ત્યારે એ જ જોવાની. બીજાની ફાઈલમાં જોવાનું જ નહીં.”
જેલર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org