________________
જેવા પર પવનંજયને, આજ સુધીના પૂર્વગ્રહ અને તિરસ્કારના પ્રભાવે આવો જ વિચાર આવવો શક્ય ગણાય કે “એક રાતનો પણ વિરહ સહન ન કરી શકનાર આ ચક્રવાકીનો સ્વપતિ પ્રત્યેનો કેવો અથાગ પ્રેમ ! ને અંજના ! છત્ બીજા પુરુષને ચાહનારી ! માતપિતા કે પ્રહસિતદ્વારા અપાતી સમજણને પણ બિલકુલ ન ગણકારનાર પવનંજયનો પૂર્વગ્રહ આજે સ્વંય દૂર થઈ જવો, વિચારધારા બદલાઈ જવી. આ શી રીતે શક્ય બને ? પણ આ શક્ય બન્યું છે એ સૂચવે છે કે સજા પૂરી થઈ ગઈ એટલે જેલરનું વર્તન બદલાઈ ગયું. કેદીનો સજામાંથી છૂટકારો થઈ ગયો.
વર્ષોથી ઘર કરી ગયેલા રોગને નાબુદ કરવા કેંક મથામણ કરી હોવા છતાં મોટા મોટા ડૉકટરો ને ભારે ભારે દવા પાછળ લાખો ખર્ચી નાખવા છતાં, જરાય મચક ન આપનારો રોગ ક્યારેક સાવ સામાન્ય નુસખા જેવી રૂપિયા બે રૂપિયાની દવાથી સાવ નિર્મુળ થઈ જતો જોવા મળે છે. આમાં પણ મૂળવાત તો આ જ છે કે કર્મસત્તાની કોર્ટે ફરમાવેલી સજા પૂરી થઈ ગઈ છે. એટલે નિમિત્ત તો ગમે તે બની શકે છે, પણ જીવને સજામાંથી ડિસ્ચાર્જ મળી જાય છે.
તા. ૮-૨-૦૪ ના ગુજરાત સમાચારમાં વાંચેલો એક પ્રસંગઃ પરદેશમાં એવિન રોબિન્સન નામના એક ટ્રક ડ્રાઈવરને એક્સીડંટ થયો. ટ્રીટમેંટ કરાવી. છતાં પણ બને આંખોની રોશની ગઈ, કાને સાંભળવાનું બંધ થઈ ગયું. ઘણાં ડૉકટર ને ઘણી દવા બાદ કાને મશીન લગાડવાથી મોટેથી બોલાયેલા શબ્દો માંડ માંડ સાંભળવાની શરૂઆત થઈ. પણ આંખો માટે તો હવે આખી જિંદગી અંધાપો રહેશે. કારણકે અંદરની યંત્રણા જ ખતમ થઈ ગઈ છે.” એવું ડૉકટરે સ્પષ્ટ કહી દીધું. એ વખતે એની ઉંમર ૫૩ વર્ષની હતી. ડ્રાઈવિંગ બંધ થઈ ગયું. સ્ટીક લઈને આસપાસ ફરતો. આંગણામાં એક નાનો બગીચો બનાવ્યો. એની કાળજી લેતો. નવવર્ષ આ રીતે વીત્યા. એક વખત જે વૃક્ષ પાસે ઊભો એના પર જ આકાશમાંથી વીજળી પડી. વૃક્ષ ધરાશાયી થઈ ગયું. પોતે પણ જમીન પર પડ્યો. બેહોશ થઈ ગયો. વીસેક મીનીટ બાદ જ્યારે હોંશમાં આવ્યો ત્યારે આશ્ચય ! એ બહુ જ સ્પષ્ટ રીતે જોઈ, સાંભળી શકતો હતો. એના આંખના ડૉકટરની આંખ પહોળી થઈ ગઈ. શું વીજળી પડવાથી અંધાપો દૂર થઈ જાય ? કહો, સજા પૂરી થઈ ગઈ એટલે ડિસ્ચાર્જ મળી ગયો.
માટે, બે વરસ થયાં. ત્રણ વરસ થઈ ગયાં.. કશો ફરક પડતો નથી. હવે ક્યાં સુધી ત્રાસ વેઠવો ? આવી અકળામણ થાય ત્યારે જીવને સમજાવવું
૫૩
Jain Education International
For Personal & Private Use Only
જેલર. . . .brary.org