________________
દેશે? કોર્ટ તો એને કહેશે કે “અલ્યા મૂરખ ! તું શું માને છે ને શું નથી માનતો એની કિંમત શું છે ? અમારા કાનુનમાં જે ગુના તરીકે લખાયેલ છે એની સજા થશે, થશે ને થશે.”
બસ, આ જ રીતે કુદરતની કોર્ટ કર્મસત્તા જીવને કહે છે “અલ્યા! તું કઈ વાડીનો મૂળો ? તારી માન્યતાની કિંમત શું છે ? અમારા કાનુનમાં જે પાપ તરીકે લખાયેલ છે એની સજા થશે, થશે ને થશે.
હવેથી દેશમાં કોઈ કોર્ટ નહીં, જેલ નહીં, જેલર નહીં, સજા નહી આવો ઠરાવ લાવવા માગતી સરકાર તમારો અભિપ્રાય પૂછે તો હા પાડશો કે ના પાડશો?
ના જ પાડીએ. નહીંતર તો અમારું જીવવું જ ભારે થઈ જાય.'
બસ આ જ રીતે કદાચ કુદરત પૂછે કે “બોલો કર્મસત્તાની કોર્ટ ડિસોલ્વ કરી દઈએ ?? તો હા પાડશો કે ના પાડશો ?
ના” “આ ના હોઠ પર છે કે હૈયામાં છે ?” ઘણું ખરું હૈયે આ હોય છે કે બીજાઓ માટે તો કર્મસત્તાની કોર્ટ હોવી જ જોઈએ. માત્ર મારા માટે જ ન જોઈએ.” અર્થાત્ બીજો મને હેરાન કરે (હિંસા), બીજો જૂઠ બોલે, મારી સાથે અનીતિ આચરે, મારા પર ગુસ્સો કરે, તો એને તો સજા થવી જ જોઈએ. પણ હું બીજાને હેરાન કરું, હું જૂઠું બોલું, ચોરી કરું, ગુસ્સો કરું તો મને સજા ન થવી જોઈએ.
જો કે કુદરત તો બહુ ઉદાર છે. બીજાને સજા, મને નહી” આવી માગણી સ્વીકારવા પણ તૈયાર છે. પણ કદરત કહે છે કે “જેવું તું કહે છે એવું જ તારો પાડોશી કહે છે. એવું જ બધા જીવો કહે છે. ને મારે નથી કોઈ પોતાનું, નથી કોઈ પરાયું. એટલે મારે તો બધાની વાત માનવાની છે. એટલે ક્યાં તો કોઈને સજા નહીં ને ક્યાં તો બધાને સજા. આ બેમાંથી કયો વિકલ્પ રાખું ? તું કહે એ વિકલ્પ રાખું. તો કયો વિકલ્પ કહેશો ?
બધાને સજા.”
“આ વિકલ્પનો અર્થ શું થાય છે? ખબર છે ?' આનો અર્થ એ થાય છે એ આપણે રોજ પ્રભુ સમક્ષ બોલવો જોઈએ. આનો અર્થ એ થાય છે કે “પ્રભુ! હું *મન-વચન-કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડું તો મને સજા થવી જ જોઈએ. બીજાના પ્રાણ હરી લેવા એ હિંસા. હિંસાનો અર્થ આટલો સીમિત નથી. બીજાને કોઈપણ પ્રકારે દુઃખ પહોંચાડવું એ હિંસાનો જ પ્રકાર છે, એ પ્રથમ નંબરનું પાપ છે.
Jain Education International
For Personal & Private Use Only
જેલર w .cally.org
ww