________________
પર ગુલાબજળની વૃષ્ટિ થાઓ.' જો કે એના માથા પર એ જ ગંદું ગટરનું પાણી પડ્યું. એટલે પછી એ પ્રભુને ફરિયાદ કરે છે “પ્રભુ ! તારો કાંઈ પ્રભાવ જ નથી રહ્યો. આટઆટલી પ્રાર્થના કરી. છતાં એ જ ગટરનું પાણી પડ્યું.” બોલો, આ છોકરાને શું કહેવું? “અલ્યા! ગુલાબજળ ચાહતો હતો તો પિચકારીમાં ગુલાબજળ જ ભરવું હતું કે, ગટરનું ગંધાતું પાણી શા માટે ભર્યું ?'
ટાઈમ મળ્યો. ટી.વી., થોડા પૈસા વધારે મળી ગયા. વૉટર કિંગ્ડમ; રૂ૫ આવ્યું. આંખો ચોંટાડી દ્યો.. પછી ભલે ને દેરાસર કેમ ન હોય; કોઈ એકાદ શબ્દ આવું - પાછું બોલ્યું કે એકાદ વસ્તુ આઘી પાછી કરી. ગુસ્સો લેટ - ગો કરવાની વાત જ નહીં. જિંદગીની પિચકારીમાં ગટરનું પાણી જ ભર્યા કરવું છે ને પછી આશા ગુલાબજળની રાખ્યા કરવી. આ ક્યાંનો ન્યાય ? ને પછી બધો ટોપલો પ્રભુના માથે. પાંચ વરસથી પુનમ ભરું છું, પણ દુઃખો ઓછા થતા નથી !
અપરાધ કર્યો જ રાખવા છે.. ને સજા જોઈતી નથી. આ વાત ન ભૂતો ન ભવિષ્યતિ વાળી છે. છતાં માની લ્યો કે કુદરત આ વાત સ્વીકારવા તૈયાર થઈ જાય, તો તમે જ ના પાડી ઊઠશો.
“ના, અમે ના નહીં પાડીએ.' ઊભા રહો. પહેલાં અપરાધ કોને કહેવાય? ખબર છે ?' ના”
ના, ના નહીં, તમારામાંથી ઘણાને ખબર છે. હું બોલવા માંડીશ તો તમે પણ બોલવા માંડશો. પહેલે પ્રાણાતિપાત (હિંસા), બીજે મૃષાવાદ (જૂઠ), ત્રીજે અદત્તાદાન (ચોરી).. આ અઢારનું જે લિસ્ટ છે એ અપરાધોનું લિસ્ટ છે. ટૂંકમાં પ્રભુએ જે જેનો નિષેધ કર્યો છે, એ બધું અપરાધરૂપ છે, કુદરત એની સજા કરે છે. બીજી રીતે કહીએ તો કુદરતના કાનુનમાં જે અપરાધ તરીકે લેખાય છે એનો જ પ્રભુએ નિષેધ કરેલ છે, એને જ પ્રભુએ પાપ તરીકે જણાવેલ છે. જેને સજા નથી જોઈતી એને આ પાપો છોડવા જ જોઈએ.
આ વાત અંગે ઘણા એવી દલીલ કરતા હોય છે કે “હું રાત્રી ભોજનને પાપ નથી માનતો.' “હું કંદમૂળને પાપ નથી માનતો.” “હું અનીતિને પાપ નથી માનતો” વગેરે.
તે ચોરી કરી છે, માટે તને આટલી સજા આમ કોર્ટે સજા ફટકારવા પર કેદી કહે છે કે હું ચોરીને ગુનો નથી માનતો.' તો કોર્ટ શું એની સજા માફ કરી
૪૫
જેલર www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only