________________
હું કડવાવેણ બોલું-કોઈને મર્મમાં ઘી લગાડું. મને સજા થવી જ જોઈએ, નહીંતર બધે અરાજકતા ફેલાઈ જાય. પ્રભુ ! હું જૂઠું બોલું. મને સજા થવી જ જોઈએ. પ્રભુ ! હું ચોરી કરું.. અનીતિ કરું.. વિશ્વાસઘાત કરું.. તો મને સજા થવી જ જોઈએ. એટલે કે એક રૂપિયાની અનીતિની સામે મને ઓછામાં ઓછું દસ રૂપિયાનું નુકશાન થવું જ જોઈએ. નહીંતર તો દુનિયાની વ્યવસ્થા તૂટી જાય. પ્રભુ! હું બીજાની મા-દીકરી - બહેન તરફ બૂરી નજરે જોઉં તો મને સજા થવી જ જોઈએ. પ્રભુ ! હું ગુસ્સો કરું તો મને સજા થવી જ જોઈએ. નહીંતર દુનિયામાં અંધાધુંધી ફેલાઈ જાય.' આવું બધું રોજ પ્રભુ સમક્ષ બોલવું જોઈએ.
એટલે નક્કી આ થયું કે વિશ્વમાં વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અપરાધની સજા હોવી જ જોઈએ. હું અપરાધ કરું તો મને પણ સજા થવી જ જોઈએ. જો મારે સજા - દુઃખોની પીડા ન જોઈતી હોય તો મારે ગુના - પાપ આચરવાના બંધ કરવા જ જોઈએ.
વળી કેટલાક એમ કહેતા હોય છે કે “પાપના તો એવા ગાઢ સંસ્કાર પડી ગયા છે કે પાપ તો થવાના જ. પણ કુદરત જ પોતાના કાનુન બદલી દે તો ? એટલે કે પાપને હવેથી અપરાધરૂપ માનીને સજા કરવાના બદલે સત્કાર્યરૂપ માનીને એની બક્ષિસ આપવાનું શરૂ કરી દે તો અમને કોઈ તકલીફ ન રહે.”
પરીક્ષા આપીને આવેલો છોકરો પોતાની માને કહે છે : “મમ્મી! મમ્મી! કોલંબો ભારતની રાજધાની બની જાય તો.'
કેમ બેટા ! એવું કહે છે? કોલંબો તો શ્રીલંકાની રાજધાની છે.” “મમ્મી ! હું પરીક્ષામાં એવું લખી આવ્યો છું.”
લ્યો. પોતે પરીક્ષામાં એવું લખી આવ્યો છે, માટે કોલંબોએ ભારતની રાજધાની બની જવું જોઈએ એવું છોકરો ચાલી રહ્યો છે. એમ, પોતે પાપ છોડવા નથી એટલે કુદરત પોતાની માન્યતા બદલીને અપરાધને સત્કાર્ય તરીકે જોવા માંડે. એવી ઈચ્છા. કાંઈ વાંધો નહીં, મેં કહ્યું ને કુદરત તો બહુ ઉદાર છે. આપણે કહીએ એવો ફેરફાર કરવા તૈયાર છે. પણ પછી કુદરત આપણને પૂછે છે તને કોઈ થપ્પડ મારે તો એને સત્કાર્ય માનીને ઈનામ આપું ને ? કોઈ વિશ્વાસઘાત કરીને ધંધામાં તારા લાખ રૂપિયા ડૂબાડી દે તો એને દસ લાખ રૂપિયા વધારામાં ઈનામ તરીકે આપું ને?'
ના..ના.. એને કાંઈ ઈનામ અપાય? એને તો સજા જ થવી જોઈએ.” એટલે કે હિંસા, જૂઠ, ચોરી..વગેરે ગુના જ લેખાવા જોઈએ ને? એની સા.
[ જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org