________________
એકવાર ના
મળતું ન
થી તો જે તે પડોશી
જીવડા !Xદુષ્ટ નથી, તારાં કર્મો દુષ્ટ છે “જીવડા !xદુષ્ટ નથી, તારાં કર્મો દુષ્ટ છે.” રોજ એક માળા ગણવી જોઈએ. ક્યાં સુધી ? જ્યાં સુધી એના પ્રત્યેની વેરભાવના નેસ્ત-નાબુદ ન થઈ જાય ત્યાં સુધી.
એક બીજી વિશેષતા કહું કૌન બનેગા કરોડપતિ માં એક સાચા જવાબનું એકવાર ઈનામ મળ્યા પછી તમે એ જ જવાબ રીપીટ કર્યા કરો તો કાંઈ ઈનામ બીજી – ત્રીજીવાર મળતું નથી. કુદરતના આ ગેમ શોમાં તો જેટલીવાર સાચો જવાબ એટલીવાર ઈનામ. “પડોશી તો જેલર છે.” “પડોશી કાંઈ દુષ્ટ નથી. મારા કર્મો દુષ્ટ છે.” “મારાં કર્મો વાંકાં ન હોય તો પડોશી મને શું કરી શકે ?” આવું તમે મનમાં જેટલીવાર વિચારો છો કે પરસ્પર વાતચીતમાં જેટલીવાર બોલો છો એટલીવાર કુદરત તમારા એકાઉંટમાં ઈનામ એડ કરતી જાય છે, કારણકે આ સાચા જવાબ છે. અને આનાથી વિપરીત, “પડોશી બદમાશ છે દુષ્ટ છે. “મને વારે વારે હેરાન કરે છે.' આવું બધું તમે જેટલી વાર વિચારો છો કે બોલો છો એટલી વાર કુદરત તમારા ખાતામાં સજા ઉમેરતી જાય છે. કારણકે આ ખોટા જવાબ છે.
વળી, સમજવા જેવી એક વાત આ પણ છે કે દુનિયાની કોઈપણ સત્તા, કોઈપણ સંસ્થા કે કોઈપણ શ્રીમંત વ્યક્તિ જે ઈનામ નથી આપી શકતી એવા ભવ્ય ઈનામ કુદરત આપે છે. અને એ જ રીતે દુનિયાની કોઈપણ સત્તા, કોર્ટ કે શત્રુ વ્યક્તિ જે સજા નથી કરી શકતી તેવી ભયંકર સજા કુદરત કરી શકે છે. ટૂંકમાં કુદરતની ઈનામ આપવાની શક્તિઓ પણ અમાપ છે ને સજા કરવાની શક્તિઓ પણ અમાપ છે.
કુદરત પાસેથી ભવ્ય ઈનામ જોઈએ છે કે ભયંકર સજા? એ નિર્ણય આપણે જ કરવાનો છે.
પ્રશ્ન : દુન્યવી જેલમાં ઘણીવાર જોવા મળતું હોય છે કે જેલર તુંડમિજાજી હોય તો, કોર્ટનો ઓર્ડર ન હોય તો પણ કેદીની લાચારીનો ગેરલાભ ઊઠાવી ક્યારેક બેચાર થપ્પડ ઠોકી દે. પોતાનું કંઈક કામ કરાવી લે. આવું પડોશી વગેરે અન્ય વ્યક્તિ આપણને જે હેરાનગતિઓ કરે છે એમાં પણ સંભવે છે ને! આપણો કોઈ અપરાધ ન હોય, ને તેથી કર્મસત્તાએ કાંઈ સજા ફરમાવી ન હોય ને છતાં પડોશી વગેરે પોતાની ઇચ્છાથી આપણને હેરાન કરતો હોય એવું બને ને !ને એ વખતે તો એ દુષ્ટ છે જ ને ?
ઉત્તર : જે સજા કર્મસત્તાની કોર્ટે ફરમાવી ન હોય આવી કોઈપણ સજા
Jain Education International
For Personal & Private Use Only
જેલર Jorary.org