________________
કર્મસત્તા સજા કરે જ છે. એનું અજ્ઞાન એને બચાવતું નથી જ.
બાળકને પિતાનો માર, પશુના ગળામાં લાકડું વગેરે જ્યાં જ્યાં સજા જોવા મળે ત્યાં ત્યાં ગુનાની જ કલ્પના કરનારા આપણે આપણી સજામાં એની કલ્પના ન કરીએ એ કેમ ચાલે ? જે આપણને ગમતું નથી, ને છતાં વેઠવું પડે છે એ બધું જ સજારૂપ જ છે ને જો સજા છે તો અપરાધ હોવો જ જોઈએ. ને જો અપરાધ છે તો એની સજા કરનાર કોઈક તંત્ર (કોટ) કુદરતમાં હોવું જ જોઈએ. નહીંતર તો અપરાધો બેફામ બની જાય. અરાજકતા ફેલાઈ જાય. ચારે બાજુ ચોરી - લૂંટફાટ- મારામારીને હત્યા જ હત્યા જોવા મળે. ને કુદરતની જો કોઈક કોર્ટ છે તો એને ફરમાવેલી સજાનો અમલ કરનાર કોઈક જેલર પણ હોવો જ જોઈએ. આ બધી વાતો બે ને બે ચાર જેવી છે. એટલું જાણવાની પણ તસ્દી ન લઈએ. તો એ તસ્દી ન લેવી એ જ ગુનો કેમ ન બની જાય ? આવી ઉપેક્ષા બચાવ શી રીતે આપી શકે ? માટે અજ્ઞાન એ કોઈ બચાવ નથી.
એટલે વાત આ નિશ્ચિત થઈ કે કર્મસત્તાની કોર્ટ વગેરેની જાણકારી હોય કે ન હોય, ઉત્પીડક જેલર જ છે. જેલરથી વધુ કશું નહીં ને જેલર ક્યારેય દુષ્ટ હોતો નથી. દુન્યવી કોર્ટનો જેલર કદાચ દસના બદલે અગ્યાર ફટકા મારી દે વગેરરૂપે કોર્ટના હુકમથી વધારે સજા કરી દે એવું બની શકે. પણ કર્મસત્તાની કોર્ટનો જેલર સજામાં એક અંશમાત્ર પણ વધારો કરી શકતો નથી. જેટલી સજા કર્મસત્તાએ ફરમાવેલી હોય એટલી જ કરવાની એને સત્તા ને એટલી જ શક્તિ. એક તસુભાર પણ વધારે સજા કરવાની ન સત્તા કે ન શક્તિ. પછી એને દુષ્ટ માની જ શી રીતે શકાય ? વળી જેલર અંગે એક વાત આ છે કે જેલર કેદી કરતાં વધુ શક્તિશાળી જ હોય એવો નિયમ હોતો નથી. ઘણા પહેલવાન - બળવાન કે ખૂંખાર ગુનેગાર કરતાં જેલર નબળા-દૂબળાં હોય ને છતાં જેલર તરીકે એને ફટકા મારવા વગેરે કરતાં જ હોય છે. આપણી પીડાઓની બાબતમાં પણ આવું જોવા મળતું જ હોય છે.
सव्वं पुव्वकयाणं कम्माणं पावफलविवागं ।
अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होई ।। અર્થ : સુખ અને દુઃખમાં બીજો તો નિમિત્તપાત્ર બને છે.
બધું પોતાના પૂર્વકૃત કર્મોના ફળવિપાક મળે છે.
૨૧
જેલર www.jamembrary.org
Jain Education International
For Personal & Private Use Only