________________
કેટલાંય મહત્ત્વના કાર્યો ગૌણ કર્યા હોય, એ વ્યક્તિ દરેક રીતે હેરાન કરી રહી હોય એવે વખતે “એ વ્યક્તિ દુષ્ટ નથી” આ વાતને દિલ શી રીતે સ્વીકારે ?)
ઉત્તર : જેલર ક્યારેય દુષ્ટ હોતો નથી. આશય એ છે કે જેલર કેદીને જે કાંઈ મજુરી કરાવે છે, “ચાલ આટલા પથ્થર તોડી નાખ.” “આટલું અનાજ પીસી નાખ.” “આખી જેલને વાળીઝૂડીને સાફ કર.” દરેક વખતે કેદી Without any argument તે તે કામ આજ્ઞાંકિત સેવકની જેમ કરી આપે છે. શાંતિથી માર ખાઈ લે છે. ને છતાં એ કેદીને જેલર રોજ સખત મજુરી કરાવે છે. વળી . ફટકા મારે છે. એક દિવસ. બીજો દિવસ. એક મહિનો..બીજો મહિનો. આ જેલરને દુષ્ટ કહેવાય ? એક X નામની ત્રાહિત વ્યક્તિની કલ્પના કરો. કોર્ટ શું છે ? અપરાધ શું છે ? સજા શું છે ? જેલ કે જેલર શું છે? આ કશી બાબતની એને કશી કલ્પના જ નથી. એ X રોજ આટલું જુએ છે કે આ આદમી (જલર) બિચારા આ માણસ પાસે (કેદી પાસે) રોજ કેટલીય મજુરી કરાવે છે. આ બિચારો નરમ છે, ભોળો છે. એટલે કશી ય દલીલ કર્યા વિના બધું જ કામ કરી આપે છે. ને છતાં આ આદમી રોજ સાંજ પડે ને આને કોરડો વીંઝે છે. ખરેખર આ બિચારો સીધો-સાદો-મહેનતુ ને નમ છે ને આ કોરડો વીંઝનારો બહુ દુષ્ટક્રૂર છે જે આને હેરાન કર્યા કરે છે.
જેલ-જેલર કોર્ટ વગેરેની જેને કલ્પના જ નથી એને જરૂર જેલર દુષ્ટ લાગે. પણ જેને આ બધી મેટરની ખબર છે એને જેલર ક્યારેય દુષ્ટ લાગતો નથી. એમ પૂર્વજન્મ-અપરાધો-કર્મસત્તાની કોર્ટ - એ કોર્ટે ફરમાવેલી સજાઓજેલર તરીકે રહેલા આસપાસના જીવો. આ બધી કશી કલ્પના જ ન હોય એને ભલે ઉત્પીડકજીવ દુષ્ટ લાગે. પણ જેને આ બધી બાબતોની જાણ છે એને તો એ ઉત્પીડકજીવ જેલર જ લાગવાથી પછી દુષ્ટ શી રીતે ભાસે ?
શંકા : આ તો કર્મસત્તા વગેરેની જાણકારી હોવી એ પણ અપરાધ બની જશે. કારણકે જેને એ જાણકારી નથી એના માટે પડકજીવ જેલર નહીં, ને તેથી એનો સામનો કરે તો સજા ન વધે ને જેને જાણકારી છે એની તો સજા વધી જ જાય, કારણકે એણે તો એને જેલર જ માનવાનો.
સમાધાન : “Ignorance is not an excuse” અજ્ઞાન એ કોઈ બચાવ નથી જે જેલરને જેલર તરીકે ન જાણે ને તેથી દુષ્ટમાની એને મારવા સામો ધસી જાય, એ કેદની સજા શું વધતી નથી ? એમ કર્મસત્તા વગેરેને ન જાણે ને તેથી પીડા આપનાર જીવને સામો મારવા ધસી જાય, તો એ અજ્ઞાનજીવને પણ
[ જેલર | www.jamemorary.org
Jain Education International
For Personal & Private Use Only