________________
અનર્થકર પાપને પોતાના દિલમાં સ્થાન આપતાં પૂર્વે માનવી સત્તાવાર વિચાર
કરશે.
આ સમજણમાંથી સુદઢ નીતિમય જીવન સ્વયં ઉદ્દભવશે. પશ્ચિમે પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતને અપનાવવો અત્યંત જરૂરી છે અને તે પણ સત્વરે, કારણકે આ સત્યો માનવીને અને દેશને પોતાની નૈતિક જવાબદારીનું જે ભાન કરાવે છે કે કોઈપણ અનુચિતવાદ કે માન્યતા કરાવી શકશે નહીં - કુદરતના આ ન્યાયને જે હૈયાથી સ્વીકારી શકે છે અને પછી જીવનમાં કોઈ ફરિયાદ જ ન રહેવાથી સ્વસ્થ શાંત જીવન સાહજિક બને છે. પછી મારે આટલું બધું કામ કરવાનું ને એ તો કશું કરતો નથી. આવી બધી જે કાંઈ અસમાનતાઓ જીવનમાં હશે તેનો પણ જીવ વિના ફરિયાદ સ્વીકાર કરી શકે છે. સાદી કેદની સજાવાળો કેદી જેલમાં કશી મજુરી કરતો નથી. સખતકેદની સજાવાળો મજુરી કરી કરીને લોથ થઈ જાય છે, છતાં શું એની કોઈ ફરિયાદ હોય છે? અસ્તુ.
સાસુ અંગે ફરિયાદ કરી રહેલી દીકરીને કહો કે જો તારે કુદરત પાસેથી ભવ્ય ઈનામ જોઈએ છે તો મારા કર્મો દુષ્ટ છે” આ સાચો જવાબ જ બોલજે, વિચારજે. ને સજા નથી જોઈતી એ માટે “મારી સાસુ દુષ્ટ છે” એવા ખોટા જવાબનો વિચાર સુદ્ધાં કરીશ નહીં.
પ્રશ્ન : પણ અમારી દીકરી કહ્યાગરી ન હોય, કામગરી ન હોય, આળસુ હોય, જે થોડુંઘણું કામ કરે એ પણ આવડત ન હોવાને કારણે બગાડી નાખતી હોય, ઉદ્ધત હોવાથી સાસુની સામે બોલતી હોય, આવું હોય ને સાસુ અમારી દીકરીને હેરાન કરતાં હોય તો તો સમજી શકાય છે કે સાસુ દુષ્ટ નથી. પણ જો અમારી દીકરી કહ્યાગરી છે, કામગરી છે, દરેક કાર્યમાં કુશળ છે, ને પાછી એટલી નય છે કે ક્યારેય સાસુની સામે હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. ને છતાં એની સાસુ એને હેરાન કરતી હોય તો તો સાસુ દુષ્ટ છે જ ને, “સાસુ દુષ્ટ નથી' એમ શી રીતે કહેવાય ?
(આવું અનેકના જીવનમાં બનતું હોય છે. પોતાની કોઈ ભૂલ નહીં. કશો વાંક નહીં. ધરાર સામાની કલ્પના જ ગલત હોય કે લોકદ્રષ્ટિએ તો એ જ દુષ્ટ હોય, ને વારંવાર હેરાન કરતો હોય, તો “એ દુષ્ટ નથી” એમ મનને શી રીતે મનાવવું ? એમ જેની પાછળ પોતે તન-મન-ધનનો ખૂબ ભોગ આપ્યો હોય, જેની માટે ખૂબ કષ્ટો વેઠ્યા હોય - અપમાનના કડવા ઘૂંટ પીધા હોય, પોતાના
(૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org