SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ન રોકવાનો અન્યાય કરી રહ્યા છે. અન્યાય જોયો એટલે મન એને સાંખી લેવા તૈયાર થાય જ નહીં. ને છતાં એને ટાળી ન શકાય. ને તેથી પરાણે પણ સાંખી લેવો પડે તો મન બદલો લેવા તૈયાર થઈ જ જાય. ખંધકસૂરિ પણ તૈયાર થઈ ગયા. આ દુષ્ટ પાલક, એને છૂટો દોર આપનાર રાજા અને નિષેધ ન કરવારૂપે અન્યાયમાં સાથ આપનાર આ પ્રજાજનો.. આ બધા સહિત આ નગરનો નાશ કરનારો બનું. એવું નિયાણું કરી લીધું. પણ પરિણામ ? કુદરત તરફથી બક્ષિસ કે સજા ? એ જગજાહેર છે. સંગમદેવે પ્રભુવીરને એક રાતમાં અત્યંત ભયંકર વીસ ઉપસર્ગો કર્યા. અને પછી પણ પ્રભુની પાછળ પડ્યો છે.. છ - છ મહિના સુધી જાતજાતની કનડગતો કર્યા કરી છે. તો પણ પ્રભુએ કોઈ જ અન્યાય જોયો નથી, માન્યો નથી. શું પ્રભુને નુકશાન થયું ? એક વસ્તુ યાદ રાખવા જેવી છે. આ કર્મસત્તા સજા કરવામાં જેમ અત્યંત નિર્દય છે. એમ સજા માફ કરવામાં પણ એ અત્યંત દયાળુ છે. આપણે આપણા એક ગુનાની સજાને સમતાપૂર્વક સહન કરી લઈએ છીએ તો આ કર્મસત્તા આપણા અન્ય ઢગલાબંધ ગુનાઓની સજા માફ કરી દે જેલર રોજ કેદી પાસે સખત મજુરી કરાવે છે. વળી ફટકા મારે છે. કેદી આજ્ઞાંકિત સેવકની જેમ બધાં જ ચીંધેલાં કામ કરી આપે છે. માર પણ શાંતિથી ખાઈ લે છે. આ ક્રમ રોજ ચાલે છે. જેલમાં બની રહેલી આ ઘટનામાત્રને જ જે કોઈ જોશે એને આમાં જેલરનો અન્યાય લાગશે જ. જે પોતાની નજરને જેલની બહાર લઈ જશે, ને તેથી કેદીના અપરાધ, કોર્ટે ફરમાવેલી સજા સુધી પોતાની દૃષ્ટિ લંબાવશે અને આમાં અંશમાત્ર અન્યાય નહીં ભાસે, માત્ર ને માત્ર ન્યાય જ ભાસશે. આવું જ પ્રસ્તુતમાં છે. “મને ઘોર અન્યાય થઈ રહ્યો છે આવી ફરિયાદ કરનાર જે કોઈ હોય એણે સમજવું જોઈએ કે વર્તમાન જીવન તો જેલ છે. કબૂલ ! આ જેલમાં મેં કશું ખોટું કર્યું નથી. પણ દૃષ્ટિને સીમિત ન રાખતા આ જેલથી આગળ પૂર્વજન્મ, એમાં આદરેલા અપરાધો, કર્મસત્તાની કોર્ટે કરેલી સજા. આ બધા સુધી લંબાવ, તને અન્યાયની ગંધ સુદ્ધાં નહીં આવે, ન્યાય જ ભાસશે. અને ન્યાય જ જો ભાસશે, તો મન એ સજાને સહી લેવા તૈયાર થઈ જશે. એટલું જ નહીં, સહેવા છતાં શાંત પણ બન્યું રહેશે. આ ન્યાયને હવે પશ્ચિમના વિદ્વાનો પણ સ્વીકારવા લાગ્યા છે. એની કેટલીક બાબતો જોઈએ. હિપ્નોટીક ટ્રાન્સના આધારે એક હજારથીયે વધુ [ જેલર | Jain Education International For Personal & Private Use Only towo-jarre Hbrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy