________________
કુદરતનું શાસન તો માત્ર માનવ જ નહીં, પશુ – પંખી – કીડી - મંકોડા વગેરે સુદ્રજંતુઓ ને વનસ્પતિઆદિ એકેન્દ્રિય જીવો. જીવમાત્રને પોતાના પ્રજાજન માને છે. આમાંનો કોઈપણ જીવ નાનો - મોટો જેવો અપરાધ કરે એવી સજા આ કર્મસત્તાની કોર્ટ કરે છે. પણ
કોર્ટનું કામ માત્ર સજા નિશ્ચિત કરવાનું છે કે દસ ફટકા મારો વગેરે... જજ પોતે કાંઈ જેલમાં આવીને કેદીને ફટકા મારતો નથી. સજાનો અમલ કરવાનું કામ તો જેલરનું છે. એમ કર્મસત્તાની કોર્ટ પણ માત્ર સજા નક્કી કરે છે. તો એનો અમલ કરનાર જેલર કોણ ?
જ્ઞાનીઓ કહે છે કે આ જેલર સગો ભાઈ પણ હોય શકે કે ભત્રીજો પણ હોય શકે, કે ભાગીદાર પણ, નોકર પણ હોય શકે કે પાડોશી પણ. સાસુ પણ હોય શકે કે વહુ પણ. દેરાણી પણ હોય શકે કે જેઠાણી પણ. હા આપણી આસપાસ રહેલા બધા જીવો આ કર્મસત્તાની કોર્ટના કર્મચારી જેલર છે. આમાંના કોઈપણ જેલરને આ હાઈકમાન્ડ ઓર્ડર છોડે છે કે “જા આને એક ગાળ આપી આવ.” એણે કાંઈ તમને ગાળ આપવી નહોતી. પણ બિચારો ચિઠ્ઠીનો ચાકર. તમને ગાળ આપી ગયો. વળી કોઈકને હુકમ કર્યો કે “આને એક થપ્પડ મારવાની છે.' એ તમને થપ્પડ મારી ગયો. આ કોર્ટે કોઈકને કહ્યું કે “આ તો એવો ગુનો આચરી આવ્યો છે કે એને એક લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડવાનું છે.” Obey to order એ જીવ તમારા ધંધામાં એવી ગરબડ કરી ગયો કે તમને લાખ રૂપિયાની ઊઠી ગઈ.
ગાળ આપનાર, થપ્પડ મારનાર કે નુકશાન પહોંચાડનાર. છેવટે આ બધા જેલર જ છે. એટલે ગાળ આપનારને આપણે જો એમ કહીએ કે “અલ્યા ! મેં તારું શું બગાડ્યું છે કે તું મને ગાળ આપે છે? તું મને ગાળ આપશે તો હું પણ તને ગાળ આપીશ.’ તો સજા વધે કે ઘટે ?
વધે.” આપણે સજા વધારવી છે કે ઘટાડવી?” ઘટાડવી છે.” જો ઘટાડવી છે તો એનો ઉપાય શું? કેદીને વિચારો....
જો એ હંટર લઈને સામો પ્રહાર કરવા જાય તો સજા વધે છે. કદાચ સામો પ્રહાર ન કરે, પણ પ્રતિકાર કરે કે પલાયન કરે.. તો પણ સજા વધે છે. અરે, માર ખાય, પણ ધમાલ ખૂબ મચાવે. તો પણ સજા ઘટતી નથી. સજા ઘટાડવી
[ જેલર Borary.org
Jain Education International
For Personal & Private Use Only