________________
શા માટે એકને ઈનામ ? શા માટે એકને સજા ? કુદરતને કોણ પોતાનું ને કોણ પરાયું ? કહો.. જે સત્કાર્ય કરીને આવ્યા છે એને કુદરત ઈનામ આપે છે. ને જે અપરાધ કરીને આવ્યા છે એને કુદરત સજા કરે છે.
એક માણસે ચોરી કરી. લૂંટફાટ કરી. અરે ! કોઈકની હત્યા પણ કરી નાખી. પોલીસ પકડી ગઈ. કોર્ટમાં કેસ ચાલ્યો. છેવટે જજે સજા ફરમાવી. દસ વરસની સખત કેદ ને ઉપરથી રોજ હંટરના દસ ફટકા. એ કેદી પાસે જેલરે સવારથી સાંજ સુધી જાતજાતની મજુરી કરાવી ને સાંજ પડી, હંટર લઈને આવ્યો. ચાલ, તારે ફટકા ખાવાના છે. એ વખતે આ કેદી જેલરને કહે કે “મેં તારું શું બગાડ્યું છે ? તે તું મને મારે છે. હું કાંઈ માર ખાવાનો નથી. હું પણ હંટર લઈને તને સામો મારીશ.” તો એની સજા વધે કે ઘટે ?
વધે”
કેદીની વાત ખોટી છે? કેદીએ જેલરનું શું બગાડ્યું છે ? કેદી તો કહી શકે છે “મેં જેને ત્યાં ચોરી કરી છે એ ભલે મારે, તું શાનો મારે ? મેં તારે ત્યાં ચોરી કરી છે?' તો શા માટે કેદીએ જેલરનો માર ખાવો જોઈએ ? ને ન ખાય તો સજા શામાટે વધે છે?
જેલર તો કોર્ટના હુકમથી મારે છે.'
બરાબર છે. કેદીએ સમજવું જોઈએ કે જેલર પોતાની ઇચ્છાથી નહીં, પણ કોર્ટનો ઓર્ડર છે, માટે મારે છે.'
આના કરતાં આખા દેશમાં કોઈ કોર્ટ નહીં, જેલ નહીં, જેલર નહીં, સજા નહીં. જેણે જેમ વર્તવું હોય તેમ વર્તવાની છૂટ.. કદાચ સરકાર આવો ઠરાવ લાવવા માગતી હોય ને આપણો અભિપ્રાય પૂછે તો આપણે હા કહીએ કે ના?
ના જ.”
શા માટે ?' કારણકે આપણને ખબર છે કે પછી તો દેશમાં વ્યવસ્થા જ નહીં રહે, અરાજકતા ફેલાઈ જાય. ખુદ આપણું પણ શાંતિથી જીવવું અશક્ય બની જાય. આનો અર્થ એ થાય કે જે દેશમાં વ્યવસ્થા જળવાયેલી છે, તો કોર્ટ સક્રિય હોવી જ જોઈએ. અને આજે પણ કોર્ટ જેટલા અંશમાં નિષ્ક્રિય છે, એટલા અંશમાં અરાજકતા છે જ. હવે, જેમ દેશમાં એ જ રીતે સમગ્ર વિશ્વમાં - આખા બ્રહ્માંડમાં પણ વ્યવસ્થા જળવાયેલી તો છે જ. તો જરૂર આખી દુનિયામાં પણ કોઈક કોર્ટ સક્રિય હોવી જોઈએ. આ કોર્ટનું નામ છે કર્મસત્તા. ભારત સરકાર તો માત્ર માનવોને જ પોતાના પ્રજાજન માને છે. આ કર્મસત્તાની કોર્ટને સ્થાપનાર
Jain Education International
For Personal & Private Use Only