SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ એ સામાની ભૂલ જોવાનું ચાલુ કરી દે છે તો એ ક્રોધની અગન જ્વાલાઓથી બચી શકતો નથી જ. આ બધી બાબતોમાં આપણા માટે તો અગ્નિશર્મા એ જ લિટમસપેપર. પ્રથમ પારણું થયું નથી. અગ્નિશર્મા તપોવનમાં પહોંચ્યો છે. તાપસોને ખ્યાલ આવી ગયો છે કે માસક્ષમણનું પારણું થયું નથી. બધા વ્યથિત થયા છે. કેટલાકને તો ગુણસેન પ્રત્યે રોષ - રીસ પણ આવ્યા છે. ત્યારે તેઓને અગ્નિશર્મા કહે છે. સેવનુયપૂયસ, વિં મન સાહારે તિ (ગુરુજનનો પૂજક એવો તે ગુણસેન સ્વસ્થ રહો. મારા આહારની (પારણાની) ચિંતાથી સર્યું. અર્થાત્ પારણું નથી થયું તો પણ મને શું ફેર પડે છે?) પછી ગુણસેન આશ્રમમાં પહોંચ્યો છે. કુલપતિને પારણું ચૂકવ્યાની વાત કરવામાં ખૂબ ડરતો હતો. ત્યારે કુલપતિ ગુણસેનને કહે છે. વત્સ ! સવ્યસ નાપીયૂમો રજૂરો તવનિપજે તો આ તં પફ Mત્તિ ?(વત્સ! તપસ્વીજન તો બધાની મા જેવો હોય છે. પછી તેને ' (માતાને) વાત કરવામાં શરમ-સંકોચ શું?). બીજીવારના પારણે અગ્નિશર્મા ગુણસેનના રાજમહેલે પહોંચ્યો છે પણ કોઈ આવકારતું નથી – બોલાવતું નથી. થોડી પ્રતીક્ષા કરીને વગર પારણે જ પાછો ફરી રહ્યો છે. એ દરમ્યાન જ ગુણસેનને પારણું યાદ આવ્યું છે ને હાંફળોફાંફળો થઈ આશ્રમ તરફ રીતસર દોટ જ મૂકી છે. રસ્તામાં જ અગ્નિશ મળી ગયો. એટલે એને પાછા ફરીને પારણાનો લાભ આપવાની વિનંતી કરે છે એ વખતે અગ્નિશર્માના બોલ છેઃ સચ્ચપના ૩ તળિો દક્તિ, નિત્રિલેસ ય નામાનામેનું તપસ્વીઓ સત્યપ્રતિજ્ઞ હોય છે, એટલે કે (તપસ્વીઓ પ્રતિજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરનારા હોય છે, એમાં છૂટછાટ લેતા નથી, માટે મારે હવે પારણામાટે ફરીથી ન અવાય.) અને તપસ્વીઓ પારણું થાય કે ન થાય એમાં સમાનચિત્તવાળા હોય છે. (એટલે કે પારણું ન થવા છતાં મને કશો ફરક પડ્યો નથી. હું તો એટલો જ સ્વસ્થ છું. આનંદમાં છું.) પણ જ્યારે ત્રીજું પારણું પણ ચૂકાઈ ગયું. શ્રી હરિભદ્રસૂરિ મહારાજના શબ્દો જોઈએ. સ્થાMિય નાવો સમાવિયપ૨સ્થિપત્તિ ચારિત્રો कसाएहिं, अवगया से परलोयवासणा, पणट्ठा धम्मसद्धा, समागया सयलदुक्खतरूबीयમૂગા મેરી, ગાય પીડાની તીવવુમુવણી અર્થ આ દરમ્યાન, અજ્ઞાનના કારણે અને પારમાર્થિક માર્ગને ભાવિત કર્યો ન હોવાથી એ કષાયગ્રસ્ત થઈ ગયો, એની પરલોક સુધારી લેવાની તાલાવેલી નષ્ટ થઈ ગઈ, ધર્મશ્રદ્ધા ખતમ જેલર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy