________________
પ૬
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પક્ષને સ્વીકારે છે. વેદાન્ત' અને જૈનદર્શન બીજા પક્ષને સ્વીકારે છે.
યોગશાસ્ત્રનો વિષયવિભાગ તેના અન્તિમ સાધ્ય અનુસાર જ છે. તેમાં ગૌણ-મુખ્યભાવે અનેક સિદ્ધાન્ત પ્રતિપાદિત છે, પરંતુ એ બધાનું સંક્ષેપમાં વર્ગીકરણ કરવામાં આવે તો તેના ચાર વિભાગ થઈ જાય છે – (૧) હેય, (૨) હે હેતુ (૩) હાન અને (૪) હાનોપાય. આ વર્ગીકરણ ખુદ સૂત્રકારે કર્યું છે અને એટલે જ ભાષ્યકારે યોગશાસ્ત્રને ચારભૂહાત્મક કહ્યું છે. સાંખ્યસૂત્રમાં પણ આ જ વર્ગીકરણ છે. બુદ્ધ ભગવાને આ ચતુર્વ્યૂહને આર્યસત્ય નામથી પ્રસિદ્ધ કર્યો છે અને યોગશાસ્ત્રના આઠ યોગાંગોની જેમ તેમણે ચોથા આર્યસત્યના સાધનરૂપે આર્ય અષ્ટાંગમાર્ગનો ઉપદેશ આપ્યો છે.
દુઃખ હેય છે", અવિદ્યા હેયનું કારણ છે, દુઃખનો આત્મત્તિક નાશ હાન છે, અને વિવેકખ્યાતિ પાનનો ઉપાય છે.
ઉક્ત વર્ગીકરણ સિવાય બીજી રીતે પણ યોગશાસ્ત્રનો વિષયવિભાગ કરી શકાય જેથી તેના મન્તવ્યોનું જ્ઞાન વિશેષ સ્પષ્ટ બને.
૧. વેદાન્ત દર્શનમાં બ્રહ્મને સચ્ચિદાનન્દસ્વરૂપ માનવામાં આવ્યું છે, તેથી તેમાં
નિત્યસુખની અભિવ્યક્તિનું નામ જ મોક્ષ છે. ૨. જૈન દર્શનમાં પણ આત્માને સુખસ્વરૂપ માનવામાં આવ્યો છે, તેથી મોક્ષમાં
સ્વાભાવિક સુખની અભિવ્યક્તિ જ જૈન દર્શનને માન્ય છે. 3. यथा चिकित्साशास्त्रं च चतुर्वृहम् – रोगो रोगहेतुरारोग्यं भैषज्यमिति एवमिदमपि
शास्त्रं चतुर्दूहमेव । तद्यथा - संसार: संसारहेतुर्मोक्षो मोक्षोपाय इति । तत्र दुःखबहुल: संसारो हेयः । प्रधानपुरुषयोः संयोगो हेयहेतुः । संयोगस्यात्यन्तिकी
નિવૃત્તિનમ્ | ટીનોપાયઃ સ ર્ણનમ્ પાદ ર સૂત્ર ૧૫ ઉપરનું ભાષ્ય. ૪. સમ્યક્ દષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યક્ કર્માન્ત, સમ્યફ આજીવ,
સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યફ સમાધિ. બુદ્ધલીલાસારસંગ્રહ,
પૃ.૧૫૦ ૫. ટુર્વ દેયમના તમ્ | યોગસૂત્ર, ૨.૧૬ ૬. દ્રણદોઃ સંયો હેતુ: યોગસૂત્ર, ૨.૧૭.તસ્ય હેતુ વિદ્યા યોગસૂત્ર,૨.૨૪ ૭. તદ્માવત્ સંયો માવો હાનં તત્ દશેઃ વચમ્ | યોગસૂત્ર, ૨.૨૬ ૮. વિવેચ્યાતવિર્ણવી હીનો પાયઃ | યોગસૂત્ર, ૨.૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org