________________
યોગવિદ્યા
પપ ચોથાનું કેવલ્યપાદ છે. પ્રથમ પાદમાં મુખ્યપણે યોગનું સ્વરૂપ, તેના ઉપાયો અને ચિત્તસ્થિરતાના ઉપાયોનું વર્ણન છે. બીજા પાદમાં ક્રિયાયોગ, આઠ યોગાંગ, તેમનાં ફળ તથા ચતુર્વ્યૂહનું મુખ્ય વર્ણન છે.
ત્રીજા પાદમાં યોગજન્ય વિભૂતિઓના વર્ણનની પ્રધાનતા છે અને ચોથા પાદમાં પરિણામવાદનું સ્થાપન, વિજ્ઞાનવાદનું નિરાકરણ તથા કેવલ્ય અવસ્થાના સ્વરૂપનું મુખ્ય વર્ણન છે. મહર્ષિ પતંજલિએ પોતાના યોગશાસ્ત્રનો મહેલ સાંખ્યસિદ્ધાન્તના પાયા ઉપર ખડો કર્યો છે. તેથી તેના પ્રત્યેક પાદનો અને યોજાશાત્રે સાંધ્યપ્રવને ઇત્યાદિ ઉલ્લેખ મળે છે.
સરપ્રવેવને આ વિશેષણથી એ સ્પષ્ટપણે ધ્વનિત થાય છે કે સાંખ્ય સિવાય અન્ય દર્શનોના આધાર ઉપર પણ રચાયેલાં યોગશાસ્ત્રો પણ તે સમયે વિદ્યમાન હતાં ત્યાં રચાતાં હતાં. આ યોગશાસ્ત્રના ઉપર અનેક નાનામોટા ટીકાગ્રન્થર છે, પરંતુ વ્યાસકૃત ભાષ્ય અને વાચસ્પતિકૃત ટીકાના કારણે તેની ઉપાદેયતા ઘણી જ વધી ગઈ છે.
બધાં દર્શનોના અંતિમ સાધ્યના અંગે વિચાર કરવામાં આવે તો તેના બે પક્ષો દષ્ટિગોચર થાય છે. પ્રથમ પક્ષનું અન્તિમ સાધ્ય - શાશ્વત સુખ નથી. તેનું માનવું છે કે મુક્તિમાં શાશ્વત સુખ નામની કોઈ સ્વતન્ત્ર વસ્તુ નથી, તેમાં જે કંઈ છે તે દુ:ખની આત્મત્તિક નિવૃત્તિ જ છે. બીજો પક્ષ શાશ્વતિક સુખલાભને જ મોક્ષ કહે છે. આવો મોક્ષ પ્રાપ્ત થતાં દુઃખની આત્યન્તિક નિવૃત્તિ આપોઆપ થઈ જાય છે. વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, યોગ અને બૌદ્ધદર્શન પ્રથમ
૧૧. હય, હયહેતુ, હાન, હાનોપાય આ ચાર ચતુર્વ્યૂહ કહેવાય છે. તેમનું વર્ણન
સૂત્ર ૧૬ થી સૂત્ર ર૬ સુધીમાં છે. ૨. વ્યાસકૃત ભાષ્ય, વાચસ્પતિકૃત તત્ત્વવૈશારદી ટીકા, ભોજદેવકૃત રાજમાર્તડ,
નાગોજી ભટ્ટકૃત વૃત્તિ, વિજ્ઞાનભિક્ષુકૃત વાર્તિક, યોગચન્દ્રિકા, મણિપ્રભા,
બાલરામ ઉદાસીનકૃત ટિપ્પણ આદિ ૩. તત્યન્તવમોક્ષૌડપવ:ન્યાયદર્શન, ૧.૧.૨૨ ૪. સાંખ્યકારિકા, કારિકા ૧ ૫. તેમાં હાનતત્ત્વ માનીને દુઃખના આત્યન્તિક નાશને જ હાન કહેલ છે. દ, બુદ્ધ ભગવાનના ત્રીજા નિરોધ નામના આર્યસત્યનો મતલબ દુઃખનાશ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org