________________
યોગવિદ્યા
ઉક્ત હઠયોગપ્રધાન ગ્રન્થોમાં હઠયોગપ્રદીપિકા જ મુખ્ય છે, કેમ કે તેના વિષયનું જ અન્ય ગ્રન્થોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. યોગવિષયક સાહિત્યના જિજ્ઞાસુઓએ યોગતારાવલી, બિન્દુયોગ, યોગબીજ અને યોગકલ્પદ્રુમનાં નામો ભૂલવા ન જોઈએ. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મૈથિલ પંડિત ભવદેવ દ્વારા રચિત યોગનિબન્ધ નામનો હસ્તલિખિત ગ્રન્થ પણ જોવામાં આવ્યો છે, જેમાં વિષ્ણુપુરાણ આદિ અનેક ગ્રન્થોનો હવાલો આપીને યોગસંબંધી પ્રત્યેક વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
સંસ્કૃત ભાષામાં યોગનું વર્ણન હોવાથી સર્વસાધારણ જનની જિજ્ઞાસાને શાન્ત કરવા માટે લોકભાષાના યોગીઓએ પણ પોતપોતાની ભાષામાં યોગનો આલાપ લેવો શરૂ કરી દીધો.
મહારાષ્ટ્રીય ભાષામાં ગીતાની જ્ઞાનદેવકૃત જ્ઞાનેશ્વરી ટીકા પ્રસિદ્ધ છે. તેના છઠ્ઠા અધ્યાયનો ભાગ ઘણો જ હૃદયહારી છે. નિઃસંદેહ જ્ઞાનેશ્વરી દ્વારા જ્ઞાનદેવે પોતાના અનુભવ અને વાણીને અવધ્ય કરી દીધાં છે. સુહીરાબા અંબિયેએ રચેલી નાથસંપ્રદાયાનુસારી સિદ્ધાન્તસંહિતા પણ યોગના જિજ્ઞાસુઓ માટે જોવાની વસ્તુ છે.
કબીરનો બીજક ગ્રન્થ યોગસંબંધી ભાષાસાહિત્યનો એક સુંદર મણકો છે.
અન્ય યોગી સંતોએ પણ ભાષામાં પોતપોતાના યોગાનુભવની પ્રસાદી લોકોને ચખાડી છે, જેનાથી જનતાનો બહુ મોટો ભાગ યોગના નામમાત્રથી મુગ્ધ બની જાય છે.
તેથી જ હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ પ્રસિદ્ધ પ્રત્યેક પ્રાન્તીય ભાષામાં પાતંજલ યોગશાસ્ત્રના અનુવાદો અને વિવેચનો વગેરે અનેક નાનામોટા ગ્રન્થો રચાયા છે. અંગ્રેજી આદિ વિદેશી ભાષામાં પણ યોગશાસ્ત્ર ઉપર અનુવાદ વગેરે ઘણું સાહિત્યસર્જન થયું છે, જેમાં વૂડનો ૧૧. પ્રો. રાજેન્દ્રલાલ મિત્ર, સ્વામી વિવેકાનન્દ, શ્રીયુત રામપ્રસાદ આદિ કૃત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org