________________
યોગવિદ્યા
૪૫
બધી પ્રક્રિયા આવી જાય છે. કૃષ્ણ દ્વારા ગીતાના રૂપમાં યોગશિક્ષા દેવડાવીને જ મહાભારત સંતોષ ન પામ્યું. તેના અથક સ્વરને જોતાં કહેવું પડે છે કે તેમ બનવું સંભવ પણ ન હતું. તેથી જ શાન્તિપર્વ અને અનુશાસનપર્વમાં યોગવિષયક અનેક સર્ગો વિદ્યમાન છે જેમનામાં યોગની અથેતિ પ્રક્રિયાનું વર્ણન પુનરુક્તિની પરવા કર્યા વિના કરવામાં આવ્યું છે. તેમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મને વારંવાર પૂછવામાં ન તો યુધિષ્ઠિરને કંટાળો આવે છે કે ન તો તે સુપાત્ર ધાર્મિક રાજાને શિક્ષા આપવામાં ભીષ્મને થકાવટ અનુભવાય છે.
યોગવાસિષ્ઠનો મોટો મહેલ તો યોગની ભૂમિકા ઉપર ખડો કરાયો છે. તેના છ પ્રકરણો જાણે તેના સુદીર્ઘ ઓરડાઓ છે જેમની અંદર યોગ સંબંધી બધા વિષયોનું રોચકતાપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. યોગની જે જે વાતો યોગદર્શનમાં સંક્ષેપમાં કહેવામાં આવી છે તેમનો વિવિધ રૂપે વિસ્તાર કરીને ગ્રન્થકારે યોગવાસિષ્ઠનું કલેવર બહુ જ વધારી દીધું છે, જેના કારણે એ જ કહેવું પડે છે કે યોગવાસિષ્ઠ યોગનો ગ્રન્થરાજ છે.
પુરાણમાં સિર્ફ પુરાણશિરોમણિ ભાગવતને જ જુઓ, તેમાં સુમધુર પદોમાં યોગનું પૂરું વર્ણન છે. ૧. યોજી યુન્નીત સતત માત્માનં રસિ સ્થિત: |
lો વર્તાવિત્તાત્મા નિરાશી પરિગ્રહ | ૨૦ || शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः । नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥ ११ ॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः । , ૩પવિઠ્યાસને યુથાત્ યોગાત્મવિશુદ્ધ II ૨૨ /
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः । संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ।। १३ ।। प्रशान्तात्मा विगतभीब्रह्मचारिव्रते स्थितः ।
મન: સંય વિત્તો યુજી માસીત માર: / ૨૪ / અ.૬. ૨. શાન્તિપર્વ ૧૯૩, ૨૧૭, ૨૪, ૨૫૪ ઇત્યાદિ. અનુશાસનપર્વ ૩૬,
૨૪૬ ઇત્યાદિ ૩. વૈરાગ્ય, મુમુક્ષુવ્યવહાર, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ. ૪. સ્કન્ધ ૩ અધ્યાય ૨૮. સ્કન્ધ ૧૧ અધ્યાય ૧૫, ૧૯, ૨૦ આદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org