________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ શૌચ વગેરે યોગાંગોના મહત્ત્વનું યશોગાન ગાયું છે. સાંખ્યસૂત્રમાં યોગપ્રક્રિયાનું વર્ણન કરતાં કેટલાંય સૂત્રો છે. બ્રહ્મસૂત્રમાં મહર્ષિ બાદરાયણે તો ત્રીજા અધ્યાયનું નામ જ સાધન અધ્યાય રાખ્યું છે, અને તેમાં આસન, ધ્યાન આદિ યોગાંગોનું વર્ણન કર્યું છે. યોગદર્શન તો મુખ્યપણે યોગવિચારનો ગ્રન્થ જ ઠર્યો, તેથી જ તેમાં સાંગોપાંગ યોગપ્રક્રિયાની મીમાંસા મળે એ સહજ છે. યોગના સ્વરૂપના સંબંધમાં મતભેદ ન હોવાના કારણે અને તેના પ્રતિપાદનની જવાબદારી ખાસ કરીને યોગદર્શનના ઉપર હોવાના કારણે અન્ય દર્શનકારોએ પોતપોતાના સૂત્રગ્રન્થોમાં થોડોક યોગવિચાર કરીને વિશેષ જાણકારી માટે જિજ્ઞાસુઓને યોગદર્શન જોવાની ભલામણ કરી છે. પૂર્વમીમાંસામાં મહર્ષિ જૈમિનિએ યોગનો નિર્દેશ સુધ્ધાં નથી કર્યો એ તો ઠીક જ છે, કેમ કે તેમાં સકામ કર્મકાંડ અર્થાત્ ધૂમમાર્ગની જ મીમાંસા છે. કર્મકાંડની પહોંચ સ્વર્ગ સુધી જ છે, મોક્ષ તેનું સાધ્ય નથી. અને યોગનો ઉપયોગ તો મોક્ષપ્રાપ્તિ માટે જ છે.
જે યોગ ઉપનિષદોમાં સૂચિત અને સૂત્રોમાં સૂત્રિત છે તેનો મહિમા ગીતામાં અનેક રૂપોમાં ગાયો છે. તેમાં યોગની તાન ક્યારેક કર્મ સાથે, ક્યારેક ભક્તિ સાથે, તો ક્યારેક જ્ઞાન સાથે સંભળાય છે. તેના છઠ્ઠા અને તેરમા અધ્યાયમાં તો યોગના મૌલિક બધા સિદ્ધાન્ત અને યોગની १. अभिषेचनोपवासब्रह्मचर्यगुरुकुलवासवानप्रस्थयज्ञदानप्रोक्षणदिङ्नक्षत्रमन्त्रकाल
નિયમાથાદDાય | ૬.૨.૨. अयतस्य शुचिभोजनादभ्युदयो न विद्यते, नियमाभावात्, विद्यतेऽर्थान्तरत्वाद् यमस्य। ૬.૨.૮. रागोपहतिया॑नम् । वृत्तिनिरोधात् तत्सिद्धिः । धारणासनस्वकर्मणा तत्सिद्धिः । निरोधश्छदिविधारणाभ्याम् ।
સ્થિરસુવિમાનમ્ ૩.૩૦-૩૪. 3. आसीन: संभवात् । ध्यानाच्च । अचलत्वं चापेक्ष्य । स्मरन्ति च ।
નૈઋગ્રતા તત્રાવિશેષાત્ ! ૪.૧.૭-૧૧. ૪. યોાશાસ્ત્રી ખ્વાધ્યાત્મવિધિ: પ્રતિપત્તવ્ય: | ન્યાયભાષ્ય, ૪.૨.૪૬. ૫. ગીતાના અઢાર અધ્યાયોમાંથી પહેલા અધ્યાય કર્મયોગપ્રધાન છે, વચલા
છ અધ્યાય ભક્તિયોગપ્રધાન છે અને છેલ્લા છ અધ્યાય જ્ઞાનયોગપ્રધાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org