________________
૪ર.
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અનુમાન કરવું સહજ છે કે તે જમાનાના લોકોનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ અવશ્ય હતો. જો કે ઋગ્વદમાં યોગ’ શબ્દ અનેક સ્થાને આવ્યો છે તેમ છતાં સર્વત્ર તેનો અર્થ ‘જોડવું એટલો જ છે, ધ્યાન કે સમાધિ અર્થ નથી. એટલું જ નહિ બલ્ક ઉત્તરકાલીન યોગવિષયક સાહિત્યમાં ધ્યાન, વૈરાગ્ય, પ્રાણાયામ, પ્રત્યાહાર આદિ જે યોગપ્રક્રિયાપ્રસિદ્ધ શબ્દો મળે છે તે ઋગ્વદમાં બિલકુલ નથી. આવું હોવાનું કારણ જે કંઈ હોય, પરંતુ એ નિશ્ચિત છે કે તત્કાલીન લોકોમાં ધ્યાનની પણ રુચિ હતી. ઋગ્વદનું બ્રહ્મસ્ફરણ જેમ જેમ વિકસિત થતું ગયું અને ઉપનિષદના જમાનામાં જેમ જેમ તે વિસ્તૃત ને વિસ્તૃત રૂપ ધારણ કરતું ગયું તેમ તેમ ધ્યાનમાર્ગ પણ અધિક પુષ્ટ અને સાંગોપાંગ બનવા લાગ્યો. આ જ કારણ છે કે પ્રાચીન ઉપનિષદોમાં પણ સમાધિના અર્થમાં યોગ, ધ્યાન આદિ શબ્દો મળે છે.” શ્વેતાશ્વતર ઉપનિષદમાં તો સ્પષ્ટપણે યોગ તથા યોગોચિત સ્થાન, પ્રત્યાહાર, ધારણા આદિ યોગાંગોનું વર્ણન છે. મધ્યકાલીન અને અર્વાચીન અનેક ઉપનિષદો તો સિર્ફ યોગવિષયક જ છે, જેમનામાં યોગશાસ્ત્રની જેમ સાંગોપાંગ યોગપ્રક્રિયાનું વર્ણન છે. અથવા એ કહેવું ૧. મં.૧, સૂ.૩૪ મંત્ર ૯, મં.૧૦ સૂ.૧૬૬ મંત્ર ૫, મં.૧ સૂ.૧૮ મંત્ર ૭, મં.૧
સૂ.૫ મંત્ર ૩, મં.૨ સૂ. ૮ મંત્ર ૧, મું.૯ સૂ. ૫૮ મંત્ર ૩ ૨. (ક) તૈત્તિરીય ર-૪; કઠ ર-૬-૧૧; શ્વેતાશ્વતર ર-૧૧, ૬.૩ (ખ) છાન્દોગ્ય ૭-૬-૧, ૭-૬-૨, ૭-૭-૧, ૭-૨૬-૧; શ્વેતાશ્વતર ૧-૧૪;
કૌશીતકિ ૩-૨, ૩-૩, ૩-૪, ૩૬ ૩. શ્વેતાશ્વતરોપનિષદ્ અધ્યાય -
त्रिरुन्नतं स्थाप्य समं शरीरं हृदीन्द्रियाणि मनसा संनिरुध्य । ब्रह्मोडुपेन प्रतरेत विद्वान्स्रोतांसि सर्वाणि भयावहानि ।। ८ ॥ प्राणान् प्रपीड्येह सयुक्तचेष्टः क्षीणे प्राणे नासिकयोच्छ्वसीत । दुष्टाश्वयुक्तमिव वाहमेनं विद्वान्मनो धारयेताप्रमत्तः ॥ ९ ॥ समे शुचौ शर्करावह्निवालुकाविवजिते शब्दजलाश्रयादिभिः ।
મનોનુત્તે ન તુ વયુપીને જુદાનિવાતાશ્રયને પ્રયોગયેત્ | ૨૦ | ઇત્યાદિ ૪. બ્રહ્મવિદ્યોનિષદુ, મુરિકોપનિષદ્, ચૂલિકોપનિષદ્, નાદબિન્દુ, બ્રહ્મબિન્દુ,
અમૃતબિન્દુ, ધ્યાનબિન્દુ, તેજોબિન્દુ, યોગશિખા, યોગતત્ત્વ, હંસ. જુઓ ઘુસેનકૃત Philosophy of the Upanishads'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org