________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પણ બે માર્ગોમાં વિભક્ત થઈ જાય છે. કેટલાંક ઉપનિષદો', યોગવાસિષ્ઠ, હઠ્યોગપ્રદીપિકા આદિ ગ્રન્થ એકાત્મવાદને લક્ષ્યમાં રાખીને રચાયા છે. મહાભારતગત યોગ પ્રકરણ, યોગસૂત્ર તથા જૈન અને બૌદ્ધ યોગગ્રન્થ નાનાત્મવાદના આધારે રચાયા છે. યોગ અને તેના સાહિત્યના વિકાસનું દિગ્દર્શન
આર્યસાહિત્યનો ભંડાર મુખ્ય ત્રણ ભાગોમાં વિભક્ત છે –. વૈદિક, જૈન અને બૌદ્ધ. વૈદિક સાહિત્યનો પ્રાચીનતમ ગ્રન્થ ઋગ્વદ છે. તેમાં આધિભૌતિક અને આધિદૈવિક વર્ણન જ મુખ્ય છે. તથાપિ તેમાં આધ્યાત્મિક ભાવ અર્થાત પરમાત્મચિન્તનનો અભાવ નથી. પરમાત્મચિન્તનનો ભાગ તેમાં થોડો છે ખરો પરંતુ તે એટલો તો અધિક સ્પષ્ટ, સુન્દર અને ભાવપૂર્ણ છે કે તેને ધ્યાનપૂર્વક જોવાથી એ સાફ માલૂમ પડે છે કે તત્કાલીન લોકોની દૃષ્ટિ કેવળ બાહ્ય ન હતી, તે બાહ્ય દૃષ્ટિ ઉપરાંત તેમાં જ્ઞાન, શ્રદ્ધા, ઉદારતા, બ્રહ્મચર્ય આદિ આધ્યાત્મિક ૧. બ્રહ્મવિદ્યા, યુરિકા, ચૂલિકા, નાદબિન્દુ, બ્રહ્મબિન્દુ, અમૃતબિન્દુ,
ધ્યાનબિન્દુ, તેજોબિન્દુ, શિખા, યોગતત્ત્વ, હંસ. • ૨. જુઓ ‘ભાગવતાચા ઉપસંહાર', પૃ.૨પર ૩. ઉદાહરણાર્થ કેટલાંક સૂક્તો આપવામાં આવે છે –
ઋગ્વદ મં.૧ સૂ. ૧૬૪-૪૬ – इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान् । एकं सद् विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः ।। ભાષાન્તર:લોક તેને ઇન્દ્ર, મિત્ર, વરુણ યા અગ્નિ કહે છે. તે સુન્દર પાંખોવાળું દિવ્ય પંખી છે. એક જ સતને વિદ્વાન લોકો અનેક પ્રકારે વર્ણવે છે. કોઈ તેને અગ્નિ, યમ કે વાયુ પણ કહે છે. ' ઋગ્વદ મ.૬ સૂ. ૯ – वि मे कर्णो पतयतो वि चक्षुर्वीदं ज्योतिर्हदय आहितं यत् । वि मे मनश्चरति दूर आधीः, किंस्विद् वक्ष्यामि किमु नु मनिष्ये ॥ ६ ॥ विश्वे देवा अनमस्यन् भियानास्त्वामग्ने ! तमसि तस्थिवांसम् । वैश्वानरोऽवतृतये नोऽमोऽवतुतये नः ॥ ७ ॥ ભાષાન્તર મારા કાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. મારાં નેત્ર, મારા હૃદયમાં સ્થિત જયોતિ અને મારું દૂરવર્તી મન(પણ) વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. હું શું કહું અને શું વિચારું? (૬) અંધકારસ્થિત હે અગ્નિ ! અંધકારથી ભય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org