________________
યોગવિદ્યા કહેવો જોઈએ. આ જ વાત ગીતાના સામ્યગર્ભિત કર્મયોગમાં કહેવામાં આવી છે. યોગની બે ધારાઓ
વ્યવહારમાં કોઈ પણ વસ્તુને પરિપૂર્ણ સ્વરૂપમાં તૈયાર કરવા માટે સૌપ્રથમ બે વાતોની આવશ્યક્તા હોય છે. તે બેમાં એક જ્ઞાન છે અને બીજી ક્રિયા છે. ચિત્રકારને ચિત્ર તૈયાર કરતાં પહેલાં તેના સ્વરૂપનું, તેનાં સાધનોનું અને સાધનોના ઉપયોગનું જ્ઞાન હોય છે, અને પછી ચિત્રકાર તે જ્ઞાન અનુસાર ક્રિયા પણ કરે છે, ત્યારે જ તે ચિત્ર તૈયાર કરી શકે છે. તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ મોક્ષને પામવા ઇચ્છનાર માટે આત્માના બધ-મોક્ષનું, બન્મ-મોક્ષનાં કારણોનું તથા તેમના પરિહાર-ઉપાદાનનું જ્ઞાન હોવું જરૂરી છે, અને જ્ઞાન અનુસાર પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. આ જ વાતને સંક્ષેપમાં આ રીતે કહેવામાં આવી છે – “જ્ઞાનશિયાખ્યામ્ મોક્ષ:'. યોગ ક્રિયામાર્ગનું નામ છે. આ ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થતાં પહેલાં અધિકારી મનુષ્ય આત્મા આદિ આધ્યાત્મિક વિષયોનું પ્રારંભિક જ્ઞાન શાસ્ત્ર દ્વારા, સત્સંગ દ્વારા, કે સ્વયં પોતાની પ્રતિભા દ્વારા મેળવી લે છે. આ તત્ત્વવિષયક પ્રાથમિક જ્ઞાન પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. પ્રવર્તક જ્ઞાન પ્રાથમિક દશાનું જ્ઞાન હોવાથી બધાને એકાકાર અને એકસરખું નથી હોતું, ન હોઈ શકે. તેથી યોગમાર્ગમાં તથા તેના પરિણામસ્વરૂપ મોક્ષસ્વરૂપમાં તાત્ત્વિક ભિન્નતા ન હોવા છતાં પણ યોગમાર્ગના પ્રવર્તક પ્રાથમિક જ્ઞાનમાં કંઈક ભિન્નતા અનિવાર્ય છે. આ પ્રવર્તક જ્ઞાનનો મુખ્ય વિષય આત્માનું અસ્તિત્વ છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનનારાઓમાં પણ મુખ્ય બે મત છે – પહેલો મત એકાત્મવાદી છે અને બીજો નાનાત્મવાદી છે. નાનાત્મવાદમાં પણ આત્માની વ્યાપકતા, અવ્યાપકતા, પરિણામિતા, અપરિણામિતા માનનારા અનેક પક્ષો છે. પરંતુ આ વાદોને એક બાજુ રાખીને મુખ્ય જે આત્માની એકતા અને અનેકતાના બે વાદો છે તેના આધારે યોગમાર્ગની બે ધારાઓ થઈ ગઈ. તેથી જ યોગવિષયક સાહિત્ય ૧. યોગ ગુરુ વર્માણ સકું વક્વા ધનય ! !
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ।। २.४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org