________________
૩૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ થનારું અનુભવાત્મક જ્ઞાન સ્પષ્ટ તથા પરિપક્વ હોય છે. તેથી એ સમજી લેવું જોઈએ કે સ્પષ્ટ અને પરિપક્વ જ્ઞાનની એકમાત્ર કૂંચી યોગ જ છે. આધિભૌતિક યા આધ્યાત્મિક કોઈ પણ યોગ કેમ ન હોય, પરંતુ તે જે દેશ યા જે જાતિમાં જેટલા પ્રમાણમાં પુષ્ટ થયેલો જોવા મળે છે તે દેશ યા તે જાતિનો વિકાસ તેટલો જ અધિક પ્રમાણમાં થયેલો હોય છે. સાચો જ્ઞાની તે જ છે જે યોગી છે. જેનામાં યોગ યા એકાગ્રતા નથી તે યોગવાસિષ્ઠની પરિભાષામાં જ્ઞાનબન્યું છે. યોગ વિના કોઈ પણ મનુષ્યની ઉત્કાત્તિ થઈ જ શકતી નથી, કેમ કે માનસિક ચંચળતાના કારણે તેની બધી શક્તિઓ એક તરફ જ ન રહેતાં ભિન્ન ભિન્ન વિષયોમાં ટકરાય છે અને ક્ષીણ થઈને એમ જ નષ્ટ થઈ જાય છે. તેથી શું ખેડૂત કે શું કારીગર, શું લેખક કે શું શોધક, શું સંસારી કે શું ત્યાગી બધાએ પોતાની નાના શક્તિઓને કેન્દ્રસ્થ કરવા માટે જે એકમાત્ર પરમ સાધન છે તે યોગને શરણ જવું જોઈએ. વ્યાવહારિક અને પારમાર્થિક યોગ
યોગનું કલેવર એકાગ્રતા છે અને તેનો આત્મા અહત્વ-મમત્વનો ત્યાગ છે. જેમાં સિર્ફ એકાગ્રતાનો જ સંબંધ હોય તે વ્યાવહારિક યોગ છે, અને જેમાં એકાગ્રતાની સાથે સાથે અહત્વ-મમત્વના ત્યાગનો પણ સંબંધ હોય તે પારમાર્થિક યોગ છે. જો યોગનો ઉક્ત આત્મા કોઈ પણ પ્રવૃત્તિમાં - ભલેને તે પ્રવૃત્તિ દુનિયાની દૃષ્ટિમાં બાહ્ય જ કેમ ન સમજવામાં આવતી હોય – વર્તમાન હોય તો તેને પારમાર્થિક યોગ જ સમજવો જોઈએ. તેનાથી ઊલટું સ્થૂલ દૃષ્ટિવાળાઓ જે પ્રવૃત્તિને આધ્યાત્મિક સમજતા હોય તેમાં પણ જો યોગનો ઉક્ત આત્મા ન હોય તો તેને વ્યાવહારિક યોગ જ ૧. ગીતા અધ્યાય ૫ શ્લોક ૫
यत् सांख्यैः प्राप्यते स्थानं तद् योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ।। ૨. યોગવાસિષ્ઠ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ ૨૧ –
व्याचष्टे यः पठति च शास्त्रं भोगाय शिल्पिवत् ।। यतते न त्वनुष्ठाने ज्ञानबन्धुः स उच्यते । आत्मज्ञानमनासाद्य ज्ञानान्तरलवेन ये । સન્તા: વેBછું તે તે મૃતા જ્ઞાનવવ: | ઇત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org