________________
યોગવિદ્યા
અનુષ્ઠાનમાં જ લાગી જતા હતા. રામચન્દ્રજી પહેલી જ અવસ્થામાં વસિષ્ઠ પાસેથી યોગ અને મોક્ષની શિક્ષા પ્રાપ્ત કરી લે છે. યુધિષ્ઠિર પણ યુદ્ધરસ લઈને બાણશય્યા પર પોઢેલા ભિષ્મપિતામહ પાસેથી શાન્તિનો જ પાઠ ગ્રહણ કરે છે. ગીતા તો રણાંગણમાં પણ મોક્ષના એકતમ સાધન યોગનો જ ઉપદેશ આપે છે. કાલિદાસ જેવા શૃંગારપ્રિય કહેવાતા કવિ પણ પોતાનાં મુખ્ય પાત્રોની મહત્તા મોક્ષ તરફ ઝૂકવામાં જ દેખે છે. જૈન આગમ અને બોદ્ધ પિટક તો નિવૃત્તિપ્રધાન હોવાથી મુખ્યપણે મોક્ષ સિવાય અન્ય વિષયોનું વર્ણન કરવામાં બહુ સંકોચ અનુભવે છે. શબ્દશાસ્ત્રમાં પણ શબ્દશુદ્ધિને તત્ત્વજ્ઞાનનું દ્વાર માની તેનું અંતિમ ધ્યેય પરમ શ્રેયને જ માન્યું છે. વિશેષ શું? કામશાસ્ત્ર સુધ્ધાંનો આખરી ઉદ્દેશ મોક્ષ છે.' આમ ભારતવર્ષીય સાહિત્યનો કોઈ પણ સ્રોત જુઓ, તેની ગતિ સમુદ્ર જેવા અપરિમેય એક ચોથા પુરુષાર્થ ભણી જ હોવાની. ૧. જુઓ યોગવાસિષ્ઠ ૨. જુઓ મહાભારત – શાન્તિપર્વ ૩. કુમારસંભવ –સર્ગ ૩ તથા ૫ તપસ્યાવર્ણન.
શાકુન્તલ નાટક અંક ૪ કણ્વોક્તિ भूत्वा चिराय चतुरन्तमहीसपत्नी दौष्यन्तिमप्रतिरथं तनयं निवेश्य । भा तदपितकुटुम्बभरेण सार्धं शान्ते करिष्यसि पदं पुनराश्रमेऽस्मिन् । शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् । વાદ્ધ મુનિવૃતીનાં યોગેનાતે તનુનામ્ | રઘુવંશ, ૧.૮ अथ स विषयव्यावृत्तात्मा यथाविधि सूनवे नृपतिककुदं. दत्त्वा यूने सितातपवारणम् । मुनिवनतरुच्छायां देव्या तया सह शिश्रिये Tત્તિતવયસાનિધૈવૃમિદં હિ કુર્તવ્રતમ્ II રઘુવંશ, ૩.૭૦ द्वे ब्रह्मणी वेदितव्ये शब्दब्रह्म परं च यत् । शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति ।। व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिर्णयो भवति । अर्थात् तत्त्वज्ञानं तत्त्वज्ञानात् परं श्रेयः ।।
- શ્રીહૈમશબ્દાનુશાસન અધ્યાય ૧ પાદ ૧ સૂત્ર ૨ લઘુન્યાસ ૫. વિરે ધર્મ મોક્ષ | | કામસૂત્ર અધ્યાય ૨, પૃ.૧૧ બમ્બઈ સંસ્કરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org