________________
૩૪
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ (૧) પહેલેથી આજ સુધી ભારતવર્ષમાં આધ્યાત્મિક વ્યક્તિઓની સંખ્યા એટલી મોટી રહી છે કે તેની આગળ બીજા બધા દેશ અને જાતિઓની આધ્યાત્મિક વ્યક્તિઓની કુલ સંખ્યા એટલી તો અલ્પ જણાય છે જેટલી કે ગંગાની આગળ નાનકડી નદી.
(૨) તત્ત્વજ્ઞાન, આચાર, ઇતિહાસ, કાવ્ય, નાટક આદિ સાહિત્યનો કોઈ પણ વિભાગ લો તેનો અંતિમ આદર્શ તો બહુધા મોક્ષ જ હશે. પ્રાકૃતિક દશ્ય અને કર્મકાંડના વર્ણને વેદનો બહુ મોટો ભાગ રોક્યો છે એ સાચું પરંતુ એમાં સંદેહ નથી કે તે વર્ણન વેદનું શરીર માત્ર છે. તેનો આત્મા તો કંઈ બીજું જ છે – તે છે પરમાત્મચિન્તન યા આધ્યાત્મિક ભાવોનું આવિષ્કરણ, ઉપનિષદોનો પ્રાસાદ તો બ્રહ્મચિન્તનના પાયા ઉપર જ ઊભો છે. પ્રમાણવિષયક, પ્રમેયવિષયક કોઈ પણ તત્ત્વજ્ઞાન સંબંધી સૂત્રગ્રન્થ હોય તો, તેમાં પણ તત્ત્વજ્ઞાનના સાધ્યરૂપે મોક્ષનું જ વર્ણન મળશે. આચારવિષયક સૂત્ર સ્મૃતિ વગેરે બધા ગ્રન્થોમાં આચારપાલનનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ જ મનાયો છે. રામાયણ, મહાભારત વગેરેનાં મુખ્ય પાત્રોનો મહિમા સિર્ફ એ કારણે નથી કે તેઓ એક મોટા રાજયના સ્વામી હતા પરંતુ તે એ કારણે છે કે અંતે તેઓ સંન્યાસ યા તપસ્યા દ્વારા મોક્ષના ૧. વૈશેષિકસૂત્ર અધ્યાય ૧ સૂત્ર ૪ –
धर्मविशेषप्रसूताद् द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां पदार्थानां साधर्म्यवैधाभ्यां तत्त्वज्ञानान्निःश्रेयसम् । ન્યાયસૂત્ર અધ્યાય ૧ સૂત્ર ૧ – प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वज्ञानान्निःश्रेयसम् । સાંખ્યદર્શન અધ્યાય ૧ – अथ त्रिविधदुःखात्यन्तनिवृत्तिरत्यन्तपुरुषार्थः ।। વેદાન્તદર્શન અધ્યાય ૪ પાદ ૪ સૂત્ર ૨૨ – अनावृत्तिः शब्दादनावृत्तिः शब्दात् ।। જૈનદર્શન – તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૧ સૂત્ર ૧ –
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।। ૨. યાજ્ઞવલ્કય અધ્યાય ૩ યતિધર્મનિરૂપણમ્; મનુસ્મૃતિ અધ્યાય ૨૨,
શ્લોક ૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org