________________
૩)
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ આવા પુરુષોને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે તેને જુદા જુદા દાર્શનિકોએ જુદી જુદી પરિભાષામાં વર્ણવ્યો છે. તેને કોઈ આત્મસાક્ષાત્કાર કહે છે, કોઈ બ્રહ્મસાક્ષાત્કાર કહે છે અને કોઈ ઈશ્વરદર્શન કહે છે, પરંતુ એનાથી વસ્તુમાં કોઈ અત્તર પડતું નથી. અમે ઉપરના વર્ણનમાં એ દર્શાવવાની ચેષ્ટા કરી છે કે મોહજનિત ભાવોની અપેક્ષાએ જીવનશક્તિના યથાર્થ અનુભવનો ભાવ કેટલો અને કેમ શ્રેષ્ઠ છે અને તેનાથી પ્રેરિત કર્તવ્યદષ્ટિ યા ઉત્તરદાયિત્વ કેટલું શ્રેષ્ઠ છે. જે વસુધાને કુટુંબ સમજે છે તે તે ભાવના કારણે. એવો ભાવ કેવળ શબ્દોથી આવી શકતો નથી. તે અંદરથી ઊગે છે અને તે જ માનવીય પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. તેના લાભને માટે, તેની પ્રાપ્તિ વાસ્તે અધ્યાત્મશાસ્ત્ર છે, યોગમાર્ગ છે અને તેની સાધનામાં માનવજીવનની કૃતાર્થતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org