SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ કે કૂદનારો સંકલ્પ કરે છે તો પૂરેપૂરું બળ સંચિત થઈને તેને કૂદાવી દે છે. સંકલ્પશક્તિનું કાર્ય છે બળને વીખરાઈ જતાં રોકવું. સંકલ્પથી સંચિત બળ સંચિત વરાળના બળ જેવું હોય છે. સંકલ્પની મદદ મળતાંવેંત ચેતના ગતિશીલ થાય છે અને પછી પોતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આમ જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે – ચેતના, સંકલ્પ અને વીર્ય યા બળ. આ ત્રિઅંશી શક્તિને જ જીવનશક્તિ સમજો, જેનો અનુભવ આપણને પ્રત્યેક નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જો સમજ ન હોય, સંકલ્પ ન હોય અને પુરુષાર્થ – વીર્યગતિ – ન હોય તો કોઈ પણ સર્જન થઈ શકતું નથી. એ ધ્યાનમાં રહે કે જગતમાં એવો કોઈ નાનો કે મોટો જીવનધારી નથી જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન કરતો ન હોય. આનાથી પ્રાણીમાત્રમાં ઉક્ત ત્રિઅંશી જીવનશક્તિ છે એની ખબર પડી જાય છે. એમ તો જેમ આપણે આપણા પોતાનામાં પ્રત્યક્ષ અનુભવીએ છીએ તેવી જ રીતે અન્ય પ્રાણીઓના સર્જનકાર્ય ઉપરથી પણ તેમનામાં રહેલી તે શક્તિનું અનુમાન આપણે કરી શકીએ છીએ. તેમ છતાં પણ તેનો અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક જુદી જ વસ્તુ છે. જો કોઈ સામે ઊભી દીવાલનો નિષેધ કરે તો આપણે તેને માનીશું નહિ. આપણે તો તેનું અસ્તિત્વ જ અનુભવીશું. તેવી જ રીતે આપણા પોતાનામાં અને બીજાઓમાં રહેલી તે ત્રિઅંશી શક્તિના અસ્તિત્વનો, તેના સામર્થ્યનો અનુભવ કરવો એ જ જીવનશક્તિનો યથાર્થ અનુભવ છે. જયારે આવો અનુભવ પ્રગટ થાય છે ત્યારે પોતાના પ્રત્યે તેમ જ બીજાના પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી તો એવો ભાવ પેદા થાય છે કે સર્વત્ર ત્રિઅંશી જીવનશક્તિ (સચ્ચિદાનન્દ) યા તો અખંડ છે યા એક છે. યા સર્વત્ર સમાન છે. કોઈને સંસ્કારોનુસાર અભેદાનુભવ હો યા કોઈને સામ્યાનુભવ, પરંતુ પરિણામમાં કંઈ પણ ફરક પડતો નથી. અભેદદષ્ટિ ધરાવનાર બીજાઓ પ્રત્યે તે જ જવાબદારી ધારણ કરશે જે પોતાના પ્રત્યે. વાસ્તવમાં તેની જવાબદારી યા કર્તવ્યદૃષ્ટિ પોતાના-પરાયાના ભેદથી ભિન્ન નથી બનતી. તેવી જ રીતે સાયષ્ટિ ધારણ કરનાર પણ પોતાના-પરાયાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy