SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસનું મુખ્ય સાધન પરિમિત અને એટલાં તો અસ્થિર હોય છે કે તેમના આદિ, મધ્ય અને અન્તમાં જ નહિ કિન્તુ તેમના પ્રત્યેક અંશમાં શંકા, દુઃખ અને ચિન્તાનો ભાવ ભરેલો રહે છે જેના કારણે ઘડિયાળના લોલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર બનાવી રાખે છે. માની લો કે કોઈ યુવક પોતાના પ્રેમપાત્ર પ્રતિ સ્થળ મોહવશ બહુ જ દત્તચિત્ત રહે છે, તેના પ્રત્યેના કર્તવ્યપાલનમાં કોઈ ત્રુટિ રાખતો નથી, ભૂલ કરતો નથી, તેનાથી તેને સાનુભવ અને સુખસંવેદન પણ થાય છે. તેમ છતાં બારીકીથી પરીક્ષણ કરવામાં આવે તો જણાશે કે તે સ્થૂલ મોહ કે સૌન્દર્ય યા ભાગલાલસાથી પેદા થયા છે અને તેથી જ તો ન જાણે તે કઈ ક્ષણે નષ્ટ થઈ જશે, ઘટી જશે યા અન્ય રૂપમાં પરિણત થઈ જશે એની ચિંતા રહે છે. જે ક્ષણે યુવક કે યુવતીને પહેલા પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર વધુ સુન્દર, વધુ સમૃદ્ધ, વધુ બળવાન યા વધુ અનુકૂળ મળી જશે તે જ ક્ષણે તેનું ચિત્ત પ્રથમ પાત્ર ઉપરથી ઊઠી જઈને બીજા પાત્ર તરફ ઝૂકી પડશે અને આ ઝુકાવની સાથે જ પ્રથમ પાત્ર પ્રત્યેના કર્તવ્યપાલનના ચકની, જે પહેલેથી ચાલતું રહ્યું હતું, ગતિ અને દિશા બદલાઈ જંશે. બીજા પાત્ર પ્રતિ પણ તે ચક્ર યોગ્ય રીતે નહિ ચાલી શકે અને મોહનો જે રસાનુભવ કર્તવ્યપાલનથી સંતુષ્ટ થતો હતો તે કર્તવ્યપાલન કરવા યા ન કરવા છતાં પણ અતૃપ્ત જ રહેશે. માતા મોહવશ અંગજાત બાળક પ્રતિ પોતાનું જે કંઈ છે તે બધું જ ન્યોછાવર કરીને રસાનુભવ કરે છે, પરંતુ તેની પાછળ સિર્ફ મોહનો જ ભાવ હશે તો તે રસાનુભવ બિલકુલ સંકુચિત અને અસ્થિર જ હોવાનો. માની લો કે તે બાળક મરી ગયું અને તેના બદલામાં તેની અપેક્ષાએ પણ વધુ સુન્દર - અને પુષ્ટ બીજું બાળક ઉછેરવા માટે મળી ગયું જે બિલકુલ માતૃહીન છે. પરંતુ આ નિરાધાર અને સુંદર બાળકને પામીને પણ પેલી માતા તેના પ્રતિ પોતાના કર્તવ્યપાલનમાં તે રસાનુભવ નહિ કરી શકે જે રસાનુભવ પોતાના અંગજાત બાળકના કર્તવ્યપાલનમાં કરતી હતી. બાળક પહેલા કરતાં પણ સારું મળ્યું છે, માતાને બાળકની સ્પૃહા છે અને અર્પણ કરવાની વૃત્તિ પણ છે. બાળક પણ માતૃહીન હોવાથી બાલકાપેક્ષિણી માતાની પ્રેમવૃત્તિનો અધિકારી છે. તેમ છતાં પેલી માતાનું ચિત્ત તેની તરફ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy