________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ધર્મધુરંધરો વિદ્યા, વિજ્ઞાન અને વિચારસ્વાતન્યનો આદર કરત અને વિચારક યુવકોને ઘણી ઉદારતાથી મળીને તેમના વિચારોમાં રહેલા દોષો દર્શાવેત અને તેમની યોગ્યતાની કદર કરીને એવા યુવકોને ઉત્પન્ન કરનારા પોતાના સમાજનું ગૌરવ કરેત. ખેર, જે કંઈ હોય તે પરંતુ હવે બન્ને પક્ષોમાં પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યાં એક પક્ષ જાણતાં કે અજાણતાં એ સ્થાપે છે કે ધર્મ અને વિચારમાં વિરોધ છે તો બીજા પક્ષને પણ અવસર મળી રહ્યો છે કે એ પ્રમાણિત કરી દે કે વિચારસ્વાન્ય આવશ્યક છે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ કે વિચારસ્વાન્ય વિના મનુષ્યનું અસ્તિત્વ જ અર્થશૂન્ય છે. વાસ્તવમાં વિચાર તથા ધર્મનો વિરોધ નથી પરંતુ તેમનો પારસ્પરિક અનિવાર્ય સંબંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org