________________
ધર્મ અને બુદ્ધિ
આપવામાં આવશે તો ધર્મનું અસ્તિત્વ જ નહિ રહી શકે અથવા તો તે વિકૃત બનીને જ રહેશે. આ રીતે જ્યારે ચારે તરફ ધર્મ અને વિચારણાની વચ્ચે વિરોધ જેવું દેખાય છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે શું ધર્મ અને બુદ્ધિમાં વિરોધ છે ? આના ઉત્તરમાં સંક્ષેપમાં એટલું જ કહી શકાય કે તેમની વચ્ચે કોઈ વિરોધ નથી અને હોઈ શકે પણ નહિ. જો ખરેખર જ કોઈ ધર્મમાં તેમનો વિરોધ માનવામાં આવે તો આપણે એ જ કહીશું કે તે બુદ્ધિવિરોધી ધર્મથી અમારે કોઈ મતલબ નથી. એવા ધર્મને અંગીકાર કરવાને બદલે તેને અંગીકાર ન કરવામાં જ જીવન સુખી અને વિકસિત રહી શકે છે.
ધર્મના બે રૂપ છે, એક તો જીવનશુદ્ધિ અને બીજું બાહ્ય વ્યવહાર. ક્ષમા, નમ્રતા, સત્ય, સંતોષ વગેરે જીવનગત ગુણ પહેલા રૂપમાં આવે છે અને સ્નાન, તિલક, મૂર્તિપૂજન, યાત્રા, ગુરુસત્કાર, દેહદમન વગેરે બાહ્ય વ્યવહાર બીજા રૂપમાં આવે છે. સાત્ત્વિક ધર્મનો ઇચ્છુક મનુષ્ય જ્યારે અહિંસાના મહત્ત્વનું ગાન ગાતો હોવા છતાં પણ પૂર્વસંસ્કારવશ ક્યારેક ક્યારેક તે ધર્મની રક્ષા માટે હિંસા, પારમ્પરિક પક્ષપાત તથા વિરોધી ઉપર પ્રહાર કરવો પણ આવશ્યક જણાવે છે, સત્યનો હિમાયતી પણ ખરા વખતે જ્યારે સત્યની રક્ષા કાજે અસત્યનું શરણ લે છે, બધાને સન્તુષ્ટ રહેવાનો ઉપદેશ દેનારો પણ જ્યારે ધર્મસમર્થન વાસ્તે પરિગ્રહની આવશ્યકતા દર્શાવે છે ત્યારે બુદ્ધિમાનોના દિલમાં પ્રશ્ન ઊઠે છે કે અધર્મસ્વરૂપ સમજવામાં આવતા હિંસા આદિ દોષોથી જીવનશુદ્ધિરૂપ ધર્મની રક્ષા યા પુષ્ટિ કેવી રીતે થઈ શકે ? પછી તે જ બુદ્ધિશાળી વર્ગ પોતાની શંકાને તે વિપરીતગામી ગુરુઓ કે પંડિતોની આગળ રજૂ કરે છે. આ રીતે જ્યારે બુદ્ધિમાન વર્ગ દેખે છે કે જીવનશુદ્ધિનો વિચાર કર્યા વિના જ ધર્મગુરુ અને પંડિત બાહ્ય ક્રિયાકાંડોને જ ધર્મ કહીને તેમના ઉપર ઐકાન્તિક ભાર દઈ રહ્યા છે અને તે ક્રિયાકાંડો તથા નિયત ભાષા તેમ જ • વેશ વિના ધર્મનો લોપ થઈ જવો, નાશ થઈ જવો બતાવે છે ત્યારે તે બુદ્ધિમાન વર્ગ પોતાની શંકા તે ધર્મગુરુઓ, પંડિતો વગેરેની આગળ રજૂ કરે છે કે તે લોકો જે અસ્થાયી અને પરસ્પર અસંગત બાહ્ય વ્યવહારો ઉપર
Jain Education International
૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org