________________
ધર્મ અને સંસ્કૃતિ
૧૩. આમ આપણે જે કોઈ જીવનક્ષેત્રને લઈ વિચાર કરીએ છીએ તો એ જ જણાય છે કે આપણે ભારતીયો જેટલા પ્રમાણમાં સંસ્કૃતિ તથા ધર્મની વાતો કરીએ છીએ, આપણું સઘળું જીવન એટલા જ પ્રમાણમાં સંસ્કૃતિ અને ધર્મથી દૂર છે. હા, એટલું અવશ્ય છે કે સંસ્કૃતિનાં બાહ્ય રૂપો અને ધર્મના બાહ્ય ક્રિયાકાંડો આપણામાં એટલા બધા છે કે ભાગ્યે જ કોઈ બીજો દેશ આપણો મુકાબલો કરી શકે. કેવળ આપણા વિરલ પુરુષોના નામ ઉપર જીવવું અને બડાઈની ડીંગ મારવી એ તો અસંસ્કૃતિ અને ધર્મપરામુખતાનાં જ લક્ષણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org