________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ તે જ રહી છે જે ઉક્ત ઋષિવચન દ્વારા પ્રગટ થાય છે. તો પણ તેના કેટલાક લેખ એવા જણાઈ શકે કે એક વર્ગવિશેષને લક્ષ્યમાં રાખીને જ . લખાયા હોય. વાત એ છે કે જે સમયે જેવો વાચકવર્ગ લક્ષ્યમાં રહ્યો, તે સમયે તે વર્ગના અધિકારની દૃષ્ટિએ વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. એ જ કારણે કેટલાક લેખોમાં જૈન પરંપરાનો સંબંધવિશેષ જણાય છે અને કેટલાક વિચારોમાં દાર્શનિક શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પરંતુ મેં અહીં જે મારી પોતાની ધર્મવિષયક દૃષ્ટિ પ્રગટ કરી છે તેના પ્રકાશમાં જો તે લેખો વાંચવામાં આવશે તો વાચક એ સારી રીતે સમજી જશે કે ધર્મ અને સમાજના પારસ્પરિક સંબંધના વિશે હું શું વિચારું છું. એમ તો એક જ વસ્તુ દેશ-કાળના ભેદે વિવિધ રીતે કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org