________________
ધર્મનું બીજ અને તેનો વિકાસ પોતાનું સ્થાન પામે છે. એવું મનાવા લાગ્યું કે વૈયક્તિક જીવન ભિન્ન ભિન્ન ભલે ને દેખાતાં હોય તો પણ હકીકતમાં તો કીટ-પતંગથી લઈ મનુષ્ય સુધી બધાં જીવનધારીઓમાં અને નિર્જીવ મનાતી સૃષ્ટિમાં પણ એક જ જીવન વ્યક્ત-અવ્યક્ત રૂપે વિદ્યમાન છે, જે કેવલ બ્રહ્મ કહેવાય છે. આ દૃષ્ટિ અનુસાર તો વાસ્તવમાં કોઈ એક વ્યક્તિ ઇતર વ્યક્તિઓથી ભિન્ન છે જ નહિ. તેથી આ દૃષ્ટિમાં વૈયક્તિક અમરત્વ સામુદાયિક અમરત્વમાં મળી એકાકાર બની જાય છે. સારાંશ એ કે જો આપણે વૈયક્તિક જીવનભેદની દૃષ્ટિએ કે અખંડ બ્રહ્મજીવનની દષ્ટિએ વિચારીએ અથવા વ્યવહારમાં તપાસીએ તો એક જ વાત નજરે ચડે છે કે વૈયક્તિક જીવનમાં સામુદાયિક વૃત્તિ અનિવાર્યપણે નિહિત છે અને તે વૃત્તિનો વિકાસ મનુષ્યજાતિમાં વધુમાં વધુ સંભવે છે અને તદનુસાર જ મનુષ્યજાતિના ધર્મમાંર્ગોનો વિકાસ થતો રહે છે.
આ જ બધા માર્ગોનું સંક્ષેપમાં પ્રતિપાદન કરનારું તે ઋષિવચન છે જેનો પહેલાં નિર્દેશ કરવામાં આવી ગયો છે, તે વચન છે કે કર્તવ્ય કર્મ કરતાં કરતાં જ જીવો અને પોતાનામાંથી ત્યાગ કરો, બીજાઓનું હરી ન લો. આ કથન સામુદાયિક જીવનશુદ્ધિનું યા ધર્મના પૂર્ણ વિકાસનું સૂચક છે. જે મનુષ્યજાતિમાં જ વિવેક અને પ્રયત્નથી ક્યારેક ને ક્યારેક સંભવિત છે.
આપણે માનવજાતિમાં બે રીતે ધર્મબીજનો વિકાસ જોયો. પહેલી રીતમાં ધર્મબીજના વિકાસના આધાર રૂપે માનવજાતિનું વિકસિત જીવન યા વિકસિત ચૈતન્યસ્પન્દન વિવાિત છે અને બીજી રીતમાં દેહાત્મભાવનાથી આગળ વધીને પુનર્જન્મથી પણ મુક્ત થવાની ભાવના વિવક્ષિત છે. ભલે ને જે પણ રીતે વિચાર કરવામાં આવે, પરંતુ વિકાસનો પૂર્ણ મર્મ ઉપર કહેવામાં આવેલા ઋષિવચનમાં જ છે, જે વૈયક્તિક અને સામાજિક શ્રેયની યોગ્ય દિશા બતાવે છે.
પ્રસ્તુત પુસ્તકમાં ધર્મ અને સમાજવિષયક જે જે લેખ, વ્યાખ્યાન વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેમની પાછળ મારી ધર્મવિષયક દૃષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org