________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ વૈયક્તિક અને સામુદાયિક જીવનને માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય તેને ટાળવું યા તેનાથી બચવું.
જ્યારે આપણે વિકસિત માનવજાતિના ઇતિહાસપટ ઉપર આવીએ છીએ ત્યારે આપણે દેખીએ છીએ કે કેવળ માતાપિતાના સહારે આગળ વધનાર કે ઉછરનાર તથા કુટુંબના વાતાવરણથી પુષ્ટ થનાર બાળક જેમ જેમ મોટું થતું જાય છે અને તેની સમજ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેનું મમત્વ અને તેનો આત્મીય ભાવ માતાપિતા તથા કુટુંબના વર્તુળથી પણ વધુ આગળ વિસ્તરતો જાય છે. તે શરૂઆતમાં પોતાનાં નાના ગામને જ દેશ માની લે છે. પછી ક્રમશઃ પોતાના રાષ્ટ્રને દેશ માને છે અને કોઈ કોઈની સમજ એટલી બધી વ્યાપક થઈ જાય છે કે તેનું મમત્વ કે તેનો આત્મીય ભાવ એક રાષ્ટ્ર યા જાતિની સીમામાં બંધાયેલો ન રહેતાં સમગ્ર માનવજાતિ જ નહિ બલ્લે સમગ્ર પ્રાણીવર્ગ સુધી ફેલાઈ જાય છે. મમત્વ યા આત્મીયભાવનું એક નામ મોહ છે અને બીજું પ્રેમ. જેટલા પ્રમાણમાં મમત્વ સીમબદ્ધ વધુ તેટલા પ્રમાણમાં તે મોહ છે અને જેટલા પ્રમાણમાં નિસીમ યા સીમામુક્ત છે તેટલા પ્રમાણમાં તે પ્રેમ છે. ધર્મનું તત્ત્વ તો મોહમાં પણ છે અને પ્રેમમાં પણ છે. અન્તર એટલું જ છે કે મોહની દશામાં વિદ્યમાન ધર્મનું બીજ તો ક્યારેક ક્યારેક વિકૃત થઈને અધર્મનું રૂપ ધારણ કરી લે છે જ્યારે પ્રેમની દશામાં તે ધર્મના શુદ્ધ સ્વરૂપને જ પ્રગટ કરે છે.
મનુષ્યજાતિમાં એવી વિકાસશક્તિ છે કે તે પ્રેમધર્મ ભણી પ્રગતિ કરી શકે છે. તેનું આ વિકાસબળ એક એવી વસ્તુ છે જે ક્યારેક ક્યારેક વિકૃત થઈને તેને એટલે સુધી ઊલટી દિશામાં ખેંચી જાય છે કે તે પશુથી પણ નિકૃષ્ટ જણાય છે. આ જ કારણ છે કે માનવજાતિમાં દેવાસુરવૃત્તિનું દ્વન્દ્ર જોવામાં આવે છે. તો પણ એક વાત તો નિશ્ચિત છે કે જ્યારે પણ ધર્મવૃત્તિનો વધુમાં વધુ કે પૂર્ણ ઉદય જોવામાં આવ્યો છે કે સંભવ બન્યો છે ત્યારે તે મનુષ્યના આત્મામાં જ જોવામાં આવ્યો છે કે સંભવ બન્યો છે.
દેશ, કાળ, જાતિ, ભાષા, વેશ, આચાર વગેરેની સીમાઓમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org