________________
. ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ઘટી શકે અને કોઈ પંથ બહાર ન રહી જાય. જયારે વર્ણન શાબ્દિક છે ત્યારે એ દાવો તો કરી જ ન શકાય કે તે અનુભવ જેટલું સ્પષ્ટ પણ હશે.
પૂર્વમીમાંસામાં “કથાતો ધર્મનિસાસા' સૂત્રથી ધર્મના સ્વરૂપનો વિચાર પ્રારંભાયો છે – ધર્મનું સ્વરૂપ શું છે ? ઉત્તરમીમાંસામાં “કથાતો વ્રિનશીના સૂત્રથી જગતના મૂલતત્ત્વના સ્વરૂપનો વિચાર પ્રારંભાયો છે. પહેલામાં આચારનો અને બીજામાં તત્ત્વનો વિચાર પ્રસ્તુત છે, તેવી જ રીતે આધુનિક પ્રશ્ન એ છે કે ધર્મનું બીજ શું છે અને તેનું પ્રારંભિક સ્વરૂપ શું છે ? આપણે બધા અનુભવીએ છીએ કે આપણામાં જિજીવિષા છે. જિજીવિષા કેવળ મનુષ્ય, પશુપક્ષી સુધી જ સીમિત નથી, તે તો સૂક્ષ્માતિસૂક્ષ્મ કીટ, પતંગ અને બેક્ટેરિયા જેવા જંતુઓમાં પણ છે. જિજીવિષાના ગર્ભમાં જ સુખની જ્ઞાત, અજ્ઞાત અભિલાષા અનિવાર્યપણે નિહિત છે. જયાં સુખની અભિલાષા છે ત્યાં પ્રતિકૂળ વેદનાથી યા દુઃખથી બચવાની વૃત્તિ પણ અવશ્ય હોય છે. આ જિજીવિષા, સુખાભિલાષા અને દુઃખના પ્રતિકારની ઇચ્છામાં જ ધર્મનું બીજ નિહિત છે.
કોઈ નાનો કે મોટો પ્રાણધારી જીવ પોતે એકલો એકલો જીવવા ઇચ્છે તો પણ જીવી નથી શકતો અને એનું જીવન વિતાવી પણ નથી શકતો. પોતાના નાનામોટા સજાતીય જૂથનો આશ્રય લીધા વિના તેને ચેન પડતું નથી. જેમ તે પોતાના જૂથમાં રહીને તેના આશ્રયથી સુખ અનુભવે છે તેવી જ રીતે યથાવસર પોતાના જૂથની અન્ય વ્યક્તિઓને યથાસંભવ મદદ કરીને પણ સુખનો અનુભવ કરે છે. આ વસ્તુસ્થિતિને કીડીઓ, ભમરા અને ઊધઈ જેવા શુદ્ર જંતુઓના વૈજ્ઞાનિક અન્વેષકોએ વિસ્તારથી દર્શાવી છે. એટલે દૂર ન જનારા સામાન્ય નિરીક્ષકો પણ પક્ષીઓ અને વાનર જેવાં પ્રાણીઓમાં જોઈ શકે છે કે પોપટ, મેના, કાગડો વગેરે પક્ષીઓ કેવળ પોતાની સંતતિના જ નહિ બલ્ક પોતાના સજાતીય જૂથના સંકટના સમયે પણ તે સંકટના નિવારણ માટે કેવો મરણાંત પ્રયત્ન કરે છે અને પોતાના જૂથનો આશ્રય કેવી રીતે પસંદ કરે છે. તમે કોઈ વાનરના બચ્ચાને પકડો અને પછી જુઓ કે કેવળ તેની મા જ નહિ પણ તે જૂથના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org