________________
પહેલું અધ્યયન ધર્મનું બીજ અને તેનો વિકાસ
લોર્ડ મોર્લીએ કહ્યું છે કે ધર્મની લગભગ ૧૦,૦૦૦ વ્યાખ્યાઓ કરવામાં આવી છે તેમ છતાં તેમાં બધા ધર્મોનો સમાવેશ નથી થતો. છેવટે બૌદ્ધ, જૈન વગેરે ધર્મો તે વ્યાખ્યાઓની બહાર જ રહી જાય છે. વિચાર કરવાથી જણાય છે કે બધા વ્યાખ્યાકારો કોઈને કોઈ પંથનો આધાર લઈને વ્યાખ્યા કરે છે. જે વ્યાખ્યાકાર કુરાન અને મુહમ્મદને વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવા ઇચ્છશે તેની વ્યાખ્યા ગમે તેટલી ઉદાર કેમ ન હોય પરંતુ અન્ય ધર્મપંથો તેની બહાર રહી જશે. જે વ્યાખ્યાકાર બાઇબલ અને ક્રાઇસ્ટનો સમાવેશ કરવા ઇચ્છશે, કે જે વેદ, પુરાણ વગેરેને દાખલ કરશે તેની વ્યાખ્યાની પણ એ જ દશા થશે. સેશ્વરવાદી નિરીશ્વર ધર્મનો સમાવેશ નથી કરી શકતો અને નિરીશ્વરવાદી સેશ્વર ધર્મનો. આવી પરિસ્થિતિમાં જો બધી વ્યાખ્યાઓ અધૂરી સાબિત થાય તો તેમાં કોઈ અચરજની વાત નથી. તો પ્રશ્ન એ છે કે શું શબ્દો દ્વારા ધર્મનું સ્વરૂપ ઓળખવું સંભવ જ નથી ? આનો ઉત્તર ‘હા’ અને ‘ના’ બન્નેમાં છે. “ના” એ અર્થમાં કે જીવનમાં ધર્મનો સ્વતઃ ઉદય થયા વિના શબ્દો દ્વારા તેનું સ્પષ્ટ ભાન થવું અસંભવ છે અને “હા” એ અર્થમાં કે શબ્દો દ્વારા પ્રતીતિ અવશ્ય થશે પરંતુ તે અનુભવ જેવી સ્પષ્ટ ન હોઈ શકે. તેનું સ્થાન અનુભવની અપેક્ષાએ ગૌણ જ રહેશે. તેથી અહીં ધર્મના સ્વરૂપ અંગે જે કંઈ કહેવું છે તે કોઈ પાર્થીિક દૃષ્ટિનું અવલંબન કરીને નહિ કહેવામાં આવે જેથી અન્ય ધર્મપંથોનો સમાવેશ જ ન થઈ શકે. અહીં જે કંઈ કહેવામાં આવશે તે પ્રત્યેક સમજદાર વ્યક્તિના અનુભવમાં આવતી હકીકતના આધારે જ કહેવામાં આવશે જેથી દરેક પંથની પરિભાષામાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org