________________
અનુવાદકની પ્રસ્તાવના યોગની ચાર ક્રમિક ભૂમિકાઓ ચાર સમાપત્તિઓના આધારે પણ થાય છે. ચાર સમાપત્તિઓ છે – સવિતર્ક, નિર્વિતક, સવિચારા અને નિર્વિચારા.
જ્યારે ચિત્તને વિવેકખ્યાતિરૂપ ચિત્તવૃત્તિ પ્રત્યે વિરક્તિ થાય છે ત્યારે ચિત્ત તે ચિત્તવૃત્તિનો વિરોધ કરે છે. આમ પર વૈરાગ્યને લીધે વિવેકખ્યાતિરૂપ ચિત્તવૃત્તિ પણ નિરુદ્ધ થઈ જાય છે. માત્ર સંસ્કારો જ ચિત્તમાં રહે છે. સર્વચિત્તવૃત્તિનો અભાવ થતાં અહીં ચિત્તવૃત્તિના આલંબનની અપેક્ષા નથી. આ યોગ ચિત્તવૃત્તિના અભાવરૂપ હોવાથી અહીં કોઈ પણ જાતનું જ્ઞાન હોતું નથી. એટલે જ આ યોગને અસંપ્રજ્ઞાત યોગ કહ્યો છે.
યોગસૂત્ર ઉપર વ્યાસે પ્રસિદ્ધ ભાષ્ય રચ્યું છે. વિશ્વના દાર્શનિક ગદ્યસાહિત્યના અત્યંત પ્રભાવક ગ્રન્થોમાં તેની ગણના થાય છે. આ ભાષ્ય ઉપર વાચસ્પતિની વિશદ અને પ્રામાણિક ટીકા તત્ત્વવૈશારદી છે. આ જ ભાષ્ય ઉપર વિજ્ઞાનભિક્ષુએ વિદ્વત્તાપૂર્ણ વાર્તિક લખ્યું છે. વિજ્ઞાનભિક્ષુએ સ્વતંત્ર યોગસારસંગ્રહની પણ રચના કરી છે. યોગસૂત્ર ઉપર ભોજની પ્રસિદ્ધ વૃત્તિ પણ છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં યોગપ્રક્રિયાનું વિસ્તૃત વિવરણ મળે છે અને યોગવાસિષ્ઠ નામનો ગ્રન્થ તો પૂરેપૂરો યોગવિષયક છે. તેમાં યોગસાધનાની પ્રક્રિયાનું અને યોગભૂમિકાઓનું રોચક નિરૂપણ છે. નોંધવા જેવી વાત તો એ છે કે આ ગ્રન્થ આપણી સમક્ષ ભગવાન શ્રી રામચન્દ્રજીને મહાતપસ્વી અને મહાયોગીના રૂપમાં રજૂ કરે છે.
બૌદ્ધ શીલો, જૈન વ્રતો અને પાતંજલ યોગના યમો એક જ વસ્તુ છે. તે યોગસાધનાનું આરંભ બિન્દુ છે અને સમગ્ર સાધનામાં તે વ્યાપ્ત છે. સમાધિ એ યોગસાધનાનું અન્તિમબિન્દુ છે. યોગસાધનાનું ફળ છે પ્રજ્ઞોત્તર નિર્વાણ (બૌદ્ધ), કેવલજ્ઞાનોત્તર મોક્ષ(જૈન) અને દઢતમવિવેકજ્ઞાનપૂર્વક ચિત્તવૃત્તિનિરોધોત્તર કૈવલ્ય (પાતંજલ યોગ).
ચિત્તના ક્ષોભ અને અશાન્તિને દૂર કરવાનો ઉપાય યોગ છે. યોગ ચિત્તને સ્થિર કરે છે. યોગ ચિત્તને શાન્તિ બક્ષે છે. શાન્તિ એ જ 9. Philosophies of India, Zimmer, p.283
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org