________________
૨૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ એ અગાઉ જોયું. પંડિતજીએ વારંવાર અનેક સ્થળોએ પ્રવૃત્તિ-નિવૃત્તિની ચર્ચા કરી છે, બન્નેનો સમન્વય સાધ્યો છે અને ભારપૂર્વક કહ્યું છે કે - નિવૃત્તિમાર્ગીઓએ સર્વકલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી જ જોઈએ. “ઐતિહાસિક અને દાર્શનિક સત્ય તો એ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ માનવકલ્યાણના સિક્કાની બે બાજુઓ છે. જયાં સુધી દોષોની નિવૃત્તિની સાથે સદ્ગણપ્રેરક અને કલ્યાણકર પ્રવૃત્તિમાં બળ પૂરવામાં ન આવે ત્યાં સુધી કોઈ માણસ દોષો-ભૂલો અને અકલ્યાણથી બચી શકતો નથી. કોઈ પણ માંદો માણસ અપથ્ય અને કુપથ્યથી નિવૃત્ત થવાથી જીવતો રહી શકતો નથી. સાથે જ સાથે એણે પથ્યનું સેવન કરવું જોઈએ. જીવનને માટે શરીરમાંથી બગાડવાળા લોહીને કાઢી નાખવું જેટલું જરૂરી છે તેટલું જ એની નસોમાં નવા શુદ્ધ લોહીનો સંચાર કરવો એ પણ જરૂરી છે.”
બોદ્ધ, જૈન અને સંન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરંપરાઓ મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મોક્ષનો આદર્શ એ બધામાં એકસરખો હોવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભોગવે છે, જયારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દષ્ટિ મુખ્યપણે હોવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કંઈક જુદું પડતું હોવાથી વ્યવહારમાં એનાં પરિણામો પણ જુદાં આવેલાં અનુભવાય છે. બૌદ્ધપરંપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી અને એ વિસ્તાર જ એને પ્રવૃત્તિધર્મનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવૃત્તિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશો ઉપર ફરી વળ્યો અને લોકગમ્ય પણ બન્યો, જયારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતો છે.
નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાન્તિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રન્થ એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું કે ૧. “ર્શન મૌર વિન્તન’, ખંડ ૨, પૃ.૧૪૬ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org