________________
૧૭
અનુવાદકની પ્રસ્તાવના મહાયાનભાવના ઉદયમાં આવી. મહાયાની શાન્તિદેવે તો ત્યાં સુધી કહ્યું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મોક્ષ શા કામનો ? હિંદુધર્મ
જૈનોએ પોતાને હિંદુ ગણવા જોઈએ કે નહિ એ પ્રશ્નની ચર્ચા કરતાં પંડિતજીએ જે કહ્યું છે તે સૌએ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમના મતે ‘હિંદુ એવો વ્યવહાર દેશસાપેક્ષ છે. હિંદ દેશ – જેની સીમાઓ બદલાતી રહી છે – તેમાં જે ધર્મો આવિર્ભાવ પામ્યા અને વિકસ્યા તે બધા હિંદુ ધર્મ છે. હિંદુ ધર્મ એટલે હિંદ દેશમાં ઉદ્ભવેલ અને વિકસેલ ધર્મ. આમ હિંદુ ધર્મમાં વૈદિક(બ્રાહ્મણ), બૌદ્ધ અને જૈન ધર્મોનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મ એ કોઈ એક ધર્મ નથી પરંતુ હિંદ દેશના ધર્મોને માટે વપરાતો એક સામાન્ય શબ્દ છે. હિંદુ ધર્મ' શબ્દનો અજ્ઞાની લોકો માત્ર વૈદિક ધર્મ એવો અર્થ કરે છે. હિંદ દેશમાં ઉદ્ભવેલા અને વિકસેલા ધર્મોમાં મૂળભૂત એક અખંડતાનો સૂર છે. તે છે તેમની આત્મતત્ત્વ, પુનર્જન્મ, કર્મ, મોક્ષ અને યોગાવલંબી જીવનચર્યાની માન્યતા. આવી મૂળભૂત સમાનતા ધરાવતા ધર્મોને માટે એક સમાન નામ આપવામાં તેમના ઉદ્ભવસ્થાન દેશનું નામ ઉપયોગી જણાતાં તે નામથી તે ધર્મોનો વ્યવહાર થાય તો તે ઉચિત જ છે. “એટલે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હિંદુ ધર્મનો એક પેટાભેદ છે, જેવી રીતે વૈદિક ધર્મ. આ જ કારણથી જ્યારે શ્રી આનંદશંકર ધ્રુવે ‘હિંદુ ધર્મની બાળપોથી' લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ ધર્મો વિશે લખ્યું અને પછી ‘હિંદુ વેદધર્મ' એ નામનું સ્વતન્ત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્મની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યો. તેમનો વિચાર આ પછી હિંદુ બૌદ્ધ ધર્મ અને હિંદુ જૈન ધર્મ એવાં બે સ્વતન્ત્ર પુસ્તકો લખવાનો હતો, જે અમલમાં આવી શક્યો નથી. ધ્રુવજીની એ દષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલો ઇતિહાસનો આધાર છે તેટલો જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ વસ્તુસ્થિતિનો પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું
૧. ‘દર્શન અને ચિત્તન’, ભાગ ૧, પૃ.૧૦૮-૧૧૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org