________________
૧૨
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ બુદ્ધિમાન વર્ગ અને ધર્મગુરુઓ વચ્ચે અંતર વધતું જાય છે. “આ દશામાં ધર્મનો આધાર વિવેકશૂન્ય શ્રદ્ધા, અજ્ઞાન કે વહેમ જ રહી જાય છે અને બુદ્ધિ તેમ જ તજ્જન્ય ગુણોની સાથે ધર્મનો એક પ્રકારે વિરોધ છે... ઇસ્લામી દીન બીજા ધર્મોની અપેક્ષાએ બુદ્ધિ અને તર્કવાદથી અધિક ગભરાય છે. કદાચ એટલા માટે એ ધર્મ આજ સુધી કોઈ અન્યતમ મહાત્માને પેદા કરી શકયો નથી અને સ્વયં સ્વતન્નતાને માટે ઉત્પન્ન થઈને પણ એણે પોતાના અનુયાયીઓને અનેક સામાજિક સંથા રાજકીય. બંધનોમાં જકડી લીધા છે. હિંદુ ધર્મની શાખાઓના પણ આ જ હાલ છે. વૈદિક હોય, બૌદ્ધ હોય કે જૈન, બધા ધર્મ સ્વતન્નતાનો દાવો તો બહુ જ કરે છે તેમ છતાં તેમના અનુયાયીઓ અનેક ક્ષેત્રમાં વધુમાં વધુ ગુલામ છે. હવે આ સ્થિતિ વિચારકોના મનમાં ખટકવા લાગી છે. તેઓ વિચારે છે કે જ્યાં સુધી બુદ્ધિ, વિચાર કે તર્કની સાથે ધર્મનો વિરોધ વિચારવામાં આવશે ત્યાં સુધી ધર્મથી કોઈનું ભલુ થઈ શકશે નહિ.”
પંડિતજી અનુસાર ધર્મની ઉત્પત્તિ અને વિકાસ બુદ્ધિ સિવાય બીજા કોઈ તત્ત્વથી થઈ જ ન શકે. બુદ્ધિશાળી પુરુષો દ્વારા જ ધર્મની ઉત્પત્તિ કે શુદ્ધિ થઈ છે. ધર્મ અને બુદ્ધિ વચ્ચે કોઈ વિરોધ નથી.
પંડિતજી કેવળ બુદ્ધિના હિમાયતી નથી. જે બુદ્ધિનો વિનિયોગ જીવનશુદ્ધિમાં ન થાય એ બુદ્ધિ કેવળ વિલાસ છે. બુદ્ધિશક્તિના વિકાસની સાથે સાથે બુદ્ધિએ શોધી આપેલા સત્યોને જીવનમાં ઉતારવાનું આંતરિક બળ પણ વિકસાવવું જોઈએ. આ સંદર્ભમાં પંડિતજીએ ઐતિહાસિક દષ્ટિએ તારવી આપેલું સત્ય નોંધીએ : “આપણે ઇતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતો ભાર અપાયેલો, જેને લીધે ત્યાં તત્ત્વચિંતન તેમ જ અનેક ક્ષેત્રોને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતન્ત્રચર્ચાઓ ખીલી, તેમાંથી આંજી દે તેવો બૌદ્ધિક ચમત્કાર અસ્તિત્વમાં આવ્યો, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમત્કારને તે જોઈએ તેવું ધાર્મિક બળ યા તો સૂક્ષ્મ ચિન્તનને જીવનમાં યોગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ૧. “ર્શન ઔર વિન્તન', ખંડ ૧, પૃ.૧૩-૧૫. જુઓ આ ગ્રન્થનું પ્રકરણ “ધર્મ
અને બુદ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org