________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા માટે અપનાવ્યો કેમ કે સ્વીકૃત ધર્મની પૂર્ણતા કદી કેવળ મૌન યા નિવૃત્તિથી સિદ્ધ થઈ શકતી નથી.
ચાતુર્યામના પુરસ્કર્તા ઐતિહાસિક પાર્શ્વનાથની પછી પંચયામના સમર્થક ભગવાન મહાવીર આવે છે. તેમના જીવનની કેટલીક ઘટનાઓ પ્રવૃત્તિમાર્ગની દૃષ્ટિએ ઘણી સૂચક છે. મહાવીરે સમતાના આધ્યાત્મિક સિદ્ધાન્તને માત્ર વ્યક્તિગત ન રાખીને તેનો ધર્મદષ્ટિએ સામાજિક ક્ષેત્રમાં પણ પ્રયોગ કર્યો છે. મહાવીર કોઈ મનુષ્યને જન્મથી ઉચ્ચ યા નીચ માનતા ન હતા. બધાંને સગુણવિકાસ અને ધર્માચરણનો સમાન અધિકાર છે – આવો તેમનો દઢ સિદ્ધાન્ત હતો. આ સિદ્ધાન્તને તત્કાલીન સમાજક્ષેત્રમાં લાગુ કરવાનો પ્રયત્ન તેમની ધર્મમૂલક પ્રવૃત્તિની બાજુ છે. જો મહાવીર કેવળ નિવૃત્તિમાં જ પૂર્ણ ધર્મ સમજતા હોત તો પોતાના વ્યક્તિગત જીવનમાં જ અસ્પૃશ્યતાનું નિવારણ કરીને તે સંતુષ્ટ રહેત. પરંતુ તેમણે તેમ ન કર્યું. તત્કાલીન પ્રબળ બહુમતની અન્યાપ્ય માન્યતાની વિરુદ્ધ તેમણે સક્રિય કદમ ઉઠાવ્યા અને મેતાર્ય તથા હરિકેશ જેવા નિકૃષ્ટ ગણતા અસ્પૃશ્યોને પોતાના ધર્મસંઘમાં સમાન સ્થાન અપાવવાનાં દ્વાર ખોલી નાખ્યાં. એટલું જ નહિ પરંતુ હરિકેશ જેવા તપસ્વી આધ્યાત્મિક ચંડાલને છૂતાછૂતમાં આનખશિખ ડૂબેલા જાત્યભિમાની બ્રાહ્મણોના ધર્મસમારંભોમાં મોકલીને ગાંધીજી દ્વારા સમર્થિત મન્દિરમાં અસ્પૃશ્યપ્રવેશ જેવા વિચારનાં ધર્મબીજ વાવવાનું સમર્થન પણ મહાવીરાનુયાયી જૈન પરંપરાએ કર્યું છે. યજ્ઞયાગાદિમાં અનિવાર્ય મનાતી પશુ આદિના પ્રાણની હિંસાથી કેવળ પોતે જ પૂર્ણપણે વિરત રહેત તો પણ કોઈ મહાવીરને કે મહાવીરાનુયાયી ત્યાગીને હિંસાભાગી ન કહેત. પરંતુ તેઓ ધર્મના મર્મને પૂરેપૂરો સમજતા હતા. તેથી જયઘોષ જેવા વીર સાધુઓ યજ્ઞના મહાન સમારંભ પર વિરોધ કે સંકટની પરવા કર્યા વિના પોતાના અહિંસાસિદ્ધાન્તને ક્રિયાશીલ અને જીવિત બનાવવા જાય છે અને છેવટે તે યજ્ઞમાં મારવામાં આવનાર પશુઓને પ્રાણથી તથા મારનાર યાજ્ઞિકને હિંસાવૃત્તિથી બચાવી લે છે. આ અહિંસાની પ્રવૃત્તિબાજુ નથી તો બીજું શું છે? ખુદ મહાવીર સમક્ષ તેમનો પૂર્વસહચારી ગોશાલક આવ્યો અને તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org