________________
૯૯
જ્ઞાની ભકતની પ્રતિભા
માર્ગ છે. જગતના સઘળા દર્શનની – મતની ાદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશે.
“ આ તમારા માનેલા ‘મુરબ્બી’ માટે કોઈ પણ પ્રકારે હર્ષશાક કરશે નહીં. તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવાદેવા નથી. ..જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેગાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઇચ્છતા નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતાપ રાખજો; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ, તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે, જો મુક્તિ ઇચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક.........જ્યાં ત્યાંથી રાગદ્ર ષ-રહિત થવું, એ જ મારો ધર્મ છે. ......આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી મિત્રને કંઈ હર્ષ-શે।ક કરવા યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણા સર્વાંમત ધર્મ છે, અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશેા નહીં. દેહ જેના ધર્મપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.” (શ્રી,૧-૧૯૧-૨)
આત્મ-સાધનામાં પ્રકારાન્તરો નથી એમ નથી; ધર્મસંપ્રદાયા, વિવિધ પીર-પેગંબર કે ગુરુ-અવતારો, ઇ0 તેવા પ્રકારાન્તરો જ મનાય; અને સાધક પોતપોતાની સંસ્કાર-સમૃદ્ધિ તેમ જ રુચિ પ્રકૃતિ તથા સત્સંગ-સંજોગો મુજબ, તેમાંથી અમુકને અપનાવે છે. પરંતુ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org